#પોતે
'🌷🌹વાત કરવી નહિં'🌷🌹
ઘરમાં જે દિવસ હરામની લક્ષ્મી પધારી
સમજજો કે સાથે કાલીકા પણ પધારશે
જે દિવસ કોઇનું સારું કે ખરાબ કર્યું
બન્નેનું પરિણામ વ્યાજે સાથે જ મળશે
બળજબરીથી મેળવેલ માન કે રુપિયો
થોડા દિવસમાં બળજબરીથી જ જશે
લોકો મારા જોડે જ,શા માટે ઝગડો કરે
તો વિચારવું કે ખામી પોતામાં જ પડી છે
કોઇની શાંતિ છીનવી પોતે શાંતિ મેળવી
તો ઘરમાં સુખ નામનો છાયડો નહિ રહે
ખબર જ છે તે વાત શા માટે કરે "માહિ'
અહિં ડાહ્યા છે સૌ આ વાત કરવી નહિં
પવાર મહેન્દ્ર
૨૫/૦૫/૨૦૨૦