Gujarati Quote in Blog by Amit Giri Goswami

Blog quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

દરેક લોકો ની અંદર એક ભૂખ્યો વરું હોઈ છે, જેમ શિકાર કર્યા વગર વરું ને શાંતિ નો મળે એમ લોકોને પણ જ્યાં સુધી પોતાની ઈચ્છા પૂરી ના થાય ત્યાં સુધી એમને શાંતિ નો મળે !

મારી અંદર પણ આવો એક "ભૂખ્યો વરું" છે અને એ વરું ને શિકાર કરવો નથી ગમતો ! પણ લખવું ગમે છે... સારું ખરાબ નબળું ગામ શું કહેશે, સમાજ શું કહેશે, મિત્રો શું કહેશે આ બધું વિચાર્યા વગર લખવું ગમે છે !

તમે જેવા ઘરની બહાર નીકળો છો ત્યારથી તમારી સામે આવતા દરેક લોકો જજ (અમાન્યતા પ્રાપ્ત) છે... તમે કેવા કપડાં પહેરો છો, તમે કેવા વાળ ઓળી ને નીકળો છો, કેવા પગરખાં પહેરો છો, કેવી ઘડિયાળ પહેરો છો વગેરે વગેરે આવી બધી બાબતો એ જજ(!) તમને પૂછ્યા વગર નક્કી કરી નાખે છે !

તો આ બધાંથી બચવા શું કરવું ?? સો સિમ્પલ આવા લોકો ને અવોઇડ કરો (તમને બીજા રસ્તા ખબર હોઈ તો કહેજો હોં)

આવા બધા મુદ્દા ને ધ્યાનમાં રાખીને હું શરૂઆત કરવા જઈ રહ્યો છું "જીવતો વાયર" ની ! આમાં કોઈ ની શેહ શરમ રાખ્યા વગર કલમ ની જગ્યાએ કરવત વાપરવામાં આવશે !

જો તમારી ઈચ્છા હોઈ તો વાંચજો ! ના ઈચ્છા હોઈ તો ન વાંચતા !
મારા બ્લોગ ની મુલાકાત લેવા વિનંતી
https://amitgiri95.blogspot.com/

Gujarati Blog by Amit Giri Goswami : 111444892
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now