OLD IS GOLD HEALTH TIPS FOR EATING
તમારા આરોગ્યને રાખો સાબૂત વાપરો આવા વાસણો
વ્યક્તિ ખાવા-પીવાની ચીજોમાં લાપરવાહી કરી રહ્યો છે જેથી સ્વાસ્થ્ય પર પ્રતિકૂળ પ્રભાવ પાડે છે. જો નિયમિત રૂપે શાકભાજી અને દાળમાં રહેલા પોષક તત્વો આપણા શરીરને મળતા રહે તો ઘણા સ્વાસ્થ્ય સંબંધી લાભ થાય છે.
- ઓછા સમયમાં ખાવાનું પકાવવા માટે બજારમાં ઘણા પ્રકારના આધુનિક વાસણો મળે છે. આ ખાવાનું તો ઓછા સમયમાં બનાવી દે છે પણ શાકભાજી અને અન્નનના પોષક તત્વોનો નાશ કરી નાખે છે. આ કારણે વ્યક્તિના સ્વાસ્થ્ય પર અસર થાય છે. અનેક પ્રકારના નાના-મોટા રોગ તેને કારણે થાય છે.
- નાની એવી બીમારી ઘણીવાર મોટું સ્વરૂપ ધારણ કરી લે છે. આ સમસ્યા આધુનિક લોકોને વધારે પરેશાન કરે છે. જ્યારે જુના સમયમાં માટીના વાસણોમાં ખાવાનું બનાવવામાં આવતું હતું તેનાથી અન્નની પોષ્ટિકતા નાશ પામતી ન હતી.
- આજે પણ જુના રીતિ-રિવાજોના પાલન કરનાર અને ગામમાં રહેનાર લોકો માટીના વર્તનો ઉપાય કરે છે. આમ તો આ વાસણોમાં ખાવા પકાવવામાં સમય વધારે લાગે છે, પણ શાકભાજી અને ભોજનની પોષ્ટિકતા જળવાઈ રહે છે.
- માટીના વાસણોમાં પકાવેલ ભોજન સ્વાદિષ્ટ હોવાની સાથે તે પૂર્ણ પોષ્ટિક પણ હોય છે. આ આપણી બીમારીઓથી લડવા અને તેની રોકવા સહાયક પણ થાય છે. આજે પણ આવું વર્તન આસાનીથી બજારમાં મળી જાય છે.
- તે સસ્તા અને સ્વાસ્થ્ય માટે લાભ કારક પણ હોય છે. આથી આ વાસણોમાં ખાવાનું બનાવવાથી આરોગ્ય જળવાઈ રહે છે.
BUT WHO DO IT . IF DO THE BEST