Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

હિન્દૂ ધર્મમાં કોઈ પણ પ્રકારની પૂજા-અર્ચનાના સમયે શ્રદ્ધાળુંઓને ધોતી પહેરવાનું અનિવાર્ય કરવામાં આવે છે. આમ તો આજકાલ ધોતી પહેરવાનું ચલણ ખૂબ ઓછું થઈ ગયું છે અને આ બ્રાહ્મણો સુધી રહી ગઈ છે.

આધુનિક ફેશનના આ જમાનામાં પૂજામાં પણ ખૂબ ઓછા લોકો ધોતી પહેરે છે. પ્રાચીન સમયમાં ધોતી પહેર્યા વગર પૂજા વગેરે કર્મકાંડ પૂર્ણ માનવામાં ન આવતા. આ કારણે ધોતીને પવિત્ર માનવામાં આવે છે. ધોતી પહેરવાની અનિવાર્યતા પાછળ વૈજ્ઞાનિક મહત્વ પણ છે.

- પૂજા-અર્ચના જેવા કાર્યોમાં ઘણી વાર સુધી એક વિશેષ અવસ્થામાં શ્રદ્ધાળુંને બેઠી રહેવું પડે છે, તે દશામાં ધોતીથી સારું કોઈ પરિધાન ન હોઈ શકે. આજકાલ લોકોને જીંન્સ, પેન્ટ વગેરે પહેરીને જ પૂજા કરે છે જેથી બેઠવા-ઉઠવામાં ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડે છે.

- શરીરના રોમ છીદ્રો આપણને શુદ્ધ પ્રાણવાયુ આપે છે. તંગ કપડા ન માત્ર તેમાં પરેશાની થાય છે પણ રક્ત પ્રવાહ પર પણ ખરાબ રીતે અસર પહુંચાડે છે.

- આ માટે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ પણ ધોતી લાભદાયક છે. ધોતી બારીક સૂતરના કાપડમાંથી બનેલી હોય છે જે હવાદાર અને સુવિધાજનક રહે છે.



- સિવડાવેલા કપડા આપણે રોજ બરોજની જિંદગીમાં પહેરતા હોય છે માટે તે દૂષિત ગણવામાં આવે છે અને ધોતી એ માટે રખાય છે કે તે ખાસ પૂજા માટે રાખવાથી તેની પવિત્રતા જળવાઈ રહે છે.

- વળી, ધોતી છે એ સૂતરમાંથી જ બનેલી મોટાભાગે પહેરવી વધારે સારી ચે કારણ કે તે રૂ જેવા કુદરતી વસ્તુમાંથી બનાવવામાં આવે છે માટે પહેરાય છે.

- પૂજા-પાઠ, કર્મકાંડ આ બાબતો જેટલી દૈહિક છે તેનાથી વધારે મનોભાવાત્મક છે અને આ કારણે તેના એક પ્રકારના પવિત્ર વાઈબ્રેટિંગ વેવ્સ ઉભા કરવા માટે આવા રિવાજો અસ્તીત્વમાં રખાયા છે.



- તમે ધોતી પહેરો છો ત્યારે તમારું મન પ્રાર્થના માટે પ્રેરણા પામે છે અને તેથી વધુ ધ્યાન આપી શકાય છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111428034
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now