Gujarati Quote in Religious by Jagdish Manilal Rajpara

Religious quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in Gujarati daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

કહે છે જે માણસને ઉંડી નીંદર આવે છે. તે દિવસભર ઉર્જાથી ભરપૂર રહે છે. સ્વસ્થ રહેવા માટે પર્યાપ્ત નીંદર લેવી જરૂરી છે. પણ સ્વસ્થ રહેવામાં માત્ર નીંદરના જ નહીં પણ સુવાની રીતનું પણ બહુ માટું યોગદાન હોય છે.

સુવાની રીત જો સાચી હોય તો માણસ ઘણી બીમારીઓથી સુરક્ષિત રહી શકે છે. સાથે જ જો જ્યોતિષીય દ્રષ્ટિથી જોવામાં આવે તો કોઈ પણ વ્યક્તિની સુવાની મુદ્રા એટલે કે સુવામી રીત તેનો સ્વભાવ તથા ભવિષ્ય પણ બતાવે છે.

શરીર સંકોડીને સૂવું –શરીરને સિકોડકર સૂવું કોઈપણ જાતકના આત્મવિશ્વાસમાં ઓછપ અને તેને અંદરના ડરને બતાવે છે. આવા લોકોના મનમાં હંમેશા એક ડર રહેતો હોય છે.

પગને કસકીને સૂવું –જે લોકો પગને જોડીને સુવે છે કે મોંને ચાદરથી ઢાંકીને સુવે છે તો તેનું જીવન સંઘર્ષ પૂર્ણ રહે છે.

પડખું ફરીને સૂવું –પડખું લઈને સુનારા લોકો વધારે સમજણવાદી હોય છે. સાફ-સ્વચ્છ રહેવું, સારું ભોજન કરવું તેને પ્રિય છે. સંશોધન આપનો શોખ છે. આપના જીવન આદર્શ છે. આ આપની ઉન્નતિનું સૂચક છે.

ચત્તા સૂવું –જો આપને માત્ર સીધા સુઈને નિંદર આવે છે તો આ શુભ લક્ષણ છે. આપ માત્ર આત્મવિશ્વાસી જ નહીં આકર્ષક વ્યક્તિત્વના સ્વામી પણ છે. આપ સમસ્યાઓનું સમાધાન તરત કરી આપો છો.

પેટના બળ સૂવું –આવા લોકો સંઘર્ષ કરવાનું ઈચ્છતા નથી. નવા કામને પોતાની જવાબદારી પર લેતા બચે છે. કોઈ પણ પ્રકારના ખતરા ઉઠાવવા માટે તૈયાર નથી થતા. તમે તમારી ભુલને સારી રીતે જાણો છો પણ બતાવતા ડરો છો.

પગ પર પગ રાખીને સૂવું – આ જાતકની સંતુષ્ટિ બતાવે છે. બીજા પ્રસન્ન રહે, તમે પણ સુખી રહો. હંમેશા આ ઈચ્છા તેના મનમાં હોય છે. તેનું ભવિષ્ય ઉજ્જવળ હોય છે.

Gujarati Religious by Jagdish Manilal Rajpara : 111391200
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now