શ્રી રામદેવપીર-પોસ્ટ-5
એક વખત રામાપીરને એકીસાથે એક જ રાત્રીના બાર જગ્યાના પાટના વાયક આવ્યા. એમાંય નજીક-નજીકના ગામડાઓ હોય તો ઠીક, પણ દુર-દુરના બાર ગામના વાયક.હવે વાયક લીધુ એટલે હાજર તો રહેવું જ પડે. અને અલખધણીના વિશ્ર્વાસે રામાપીરે બારે-બાર જગ્યાએ પાટ પર હાજરી આપી. ત્યારથી ભક્તો રામાપીરને બાર બીજના ધણી કહેવા લાગ્યા.
અઢારે આલમમાં રામાપીરને લોકો માનતા હતા.દિન-દુઃખીયાના દુઃખ દુર થતા.પોતાની અલૌકિક શક્તિ વડે ભક્તોના અનેક કાયોઁ કયાઁ. લોકો રામદેવજીને "રામાપીર" તરીકે માનવા લાગ્યા
આમ રામાપીરની કીતિઁ છેક મક્કા-મદીના સુધી પહોંચી.ત્યાંના ઓલિયાઓ ચચાઁ કરવા લાગ્યા કે,પીર તો મુસલમાનમાં જ હોય, આ નવો પીર કયાંથી જાગ્યો ? ભારતમાં હમણાં ઘણાં પાખંડ ચાલે છે, પાખંડીઓ પોતાને પીર કહેવડાવીને ભોળી પ્રજા પાસે પોતાની જાતને પુજાવે છે. તો કયાંક આ કહેવાતા ';રામાપીર' પાખંડી તો નથી ને ?
આમ પાંચ પીર રામાપીરની કસોટી કરવા હિન્દુસ્તાન આવ્યા જગપ્રસિધ્ધ ઘટના છે કે પાંચ પીરની કસૌટીમાંથી રામાપીર ઊતિણઁ થયા.
પાંચે પીર એકીસાથે બોલી ઊઠ્યા,-હે રામાપીર!, અમને હતું કે પીર તો મુસલમાનમાં જ હોય.પણ તમારી પીરાઈ જોતા અમે આનંદિત થયા છીએ. અમે તમને "હિન્દવાપીર"ના નામથી નવાજીયે છીએ.ત્યારથી લોકો રામાપીરને 'હિન્દવાપીર' તરીકે માનવા લાગ્યા.
જ્યારે ગતગંગામાંથી કોઈ ભક્ત સિધ્ધકક્ષાએ પહોંચી જતા,ત્યારે 'સિધ્ધરો-મંડપ'કરતા. આ બાબતે વધારે ઊંડા ઊતરિયે તો કૈલાસ પર શિવજીએ આ મંડપ કરેલો. એટલે આ મંડપને શિવરો-મંડપ
પણ કહે છે. હાલ આપણે સવરા-મંડપકહીયે છીએ.
સવરા-મંડપમાં નિજારપંથી અનેક પીરાણાઓ-ગતગંગા-સિધ્ધો -સંતો-ભક્તોને બોલાવવામાં આવતા. વિશ્ર્વાસની દોર અને ઊપસ્થિત સૌના ભજન પ્રતાપે સ્થંભ ખડો થતો. એના પર બેડા ચડાવવામાં આવતા. નેજા ચડાવવામાં આવતા હતા. નેજાનો અથઁ ને....જો.... અલખધણી...ને....જો...ને...જો...
ભક્તિમાગઁમા સિધ્ધ થયેલા જ મંડપ કરી શકતા હતા. સિધ્ધો-ભક્તો પોતાની ભક્તિના પ્રમાણ આપતા. આ જોઈને જીજ્ઞાસુઓ ભાવવિભોર બની જતા અને છેલ્લા શ્ર્વાસ સુધી ભકતિમાગેઁ વળગી રહેવાના વ્રત-નિયમો લેતા. ભજન સત્સંગ થતા.અરસ-પરસ બધા મળતા. સવા દિવસ-કે સાડા ત્રણ દિવસનો શિવરો મંડપ થતો.
;જ્યારે ભીડ પડે-સંકટનાં વાદળો ઘેરાય ત્યારે ભક્તો રામાપીરનો હેલો ગાતા અને ગાતાની સાથે જ રામાપીર નિલમ ઘોડે અસવાર થઈ ભૂજે ભમ્મરિયો ભાલો લઈને ભકતોની વ્હાર કરતાં.
;આજના ટેલિફોનીક યુગમાં નંબર ડાયલ કરીને બોલીયે ત્યારે સામો જવાબ આવે, તેમાય કયારેક રોંગ-નંબરપણ લાગી જાય. ભક્તો "હેલો"
;ગાય એમાં કદી રોંગ નંબર લાગતો જ નહી;કયારેક ટ્રાય કરી જોજો
ક્રમશ -વધુ હવે પછી.....જયગુરૂરામ.