ક્યારેક એવું લાગે કે આવું મારી સાથે કેમ બન્યું? કે આવું મારી સાથે જ કેમ બન્યું?
કોઈ વસ્તુ જોઈતી હોય અને એ ના મળે. કોઈ ખાસ કોલેજ કે ફિલ્ડમાં જવું હોય અને એડમીશન ના મળે. કોઈ દોસ્ત, સાથી અચાનક આપણાથી હંમેશને માટે દૂર થઈ જાય. જે પ્રમોશનના તમે હકદાર હો એ ના મળે કે જોઈતી નોકરી જ ના મળે, ગમતી/ગમતો છોકરી/છોકરો ના મળે ત્યારે આપણા મનમાં આ સવાલ અચૂક આવે જ કે મારી સાથે આવું કેમ થયું!
એ વખતે આપણે નિયતિને, ભગવાનને દોષિત માનીને એનાથી ગુસ્સે થઈ જઈએ, મનની અકળામણ દૂર કરવા હવાતિયાં માર્યા કરીએ અને પછી એક નવું પ્રકરણ જીવનમાં ચાલું થાય... શરૂઆતમાં એ આપણને ગમે કે ના પણ ગમે... ધીમે ધીમે એ નવા પ્રકરણમાં આપણે ગોઠવાઈ જઈએ છીએ..જૂના ઘાવ રૂઝાવા લાગે છે, એના નિશાન ક્યારેક પીડા જરૂર આપી જાય પણ હવે એ પહેલા જેટલું દુઃખી નથી કરતા...
આ સમયે જો તમે તટસ્થ થઈને તમારી પાછલી જિંદગી વિશે વિચારશો અને જો ભગવાનની તમારા ઉપર કૃપા હશે તો સમજાશે કે, જે થયું યોગ્ય જ થયું! જે તે સમયે જે તમને નહતું મળ્યું એને લાયક તમે નહતા એવું નહતું પણ એ તમારે લાયક નહતું! આજે તમારા જીવનની જે ઊંચાઈએ તમે ઊભા છો એ એટલા માટે કે ભૂતકાળમાં તમને નિરાશા મળી હતી! So, say thanks to all your previous નિરાશા...😁
જીવન પ્રત્યેનો મારો અનુભવ મને કહે છે ઈશ્વર ખૂબ દયાળુ છે અને એ આપણને સૌને પ્રેમ કરે છે એનું કડક થવું અને આપણી ઇચ્છા પૂરી ના કરવી પણ આખરે તો આપણી ભલાઈ માટે જ હોય છે...તમારા ઘરમાં નાનું બાળક હોય તો વિચારી જોજો, જ્યારે પણ એની કોઈ જીદ તમે પૂરી ન કરો, એ રડતું હોય, ધમપછાડા કરતું હોય અને છતાં તમે મક્કમ રહી એની વાત ના જ માનો...એ કોના ફાયદા માટે?
I love my Krishna...and he loves me too 🌹
નિયતીના જય શ્રી કૃષ્ણ 🙏