*માર્મિક પ્રતિક* લેખ..... 12-9-2019
આપણા જીવનમાં ઘણી ઉપયોગી વસ્તુઓ છે એમાંથી કંઈક ને કંઈક શિખવા મળે છે. જાણવા અને સમજવા મળે છે. રોજ બરોજ ના વપરાશમાં આવતી વસ્તુઓ ઘણુ ખરું શિખવાડી અને સમજાવી જાય છે.... આપણે એવી જ રોજ બરોજ ના કામમાં આવતી વસ્તુની વાત કરીએ.
સૂપડો અને ચાયણી બંને રોજિંદા જીવનના માર્મિક પ્રતિકો છે જો એના પર લગીરે વિચારવામાં આવે તો !
સૂપડો ઝાટકી નાંખે છે ! અનાજમાં થી કાંકરા... છોતરાને ખંખેરી નાંખે છે... જ્યારે ચાયણી અનાજને ચાળી તો દે... પણ કાંકરા સંઘરી રાખે !
માટે વિચારો .... બોલો તમે કેવા બનવાનું પસંદ કરશો???
મારા મત પ્રમાણે તો સૂપડા જેવુું બનવું સારુ... પણ દરેક ની વિચારસરણી અલગ-અલગ હોય....
દોષો દુર્ગણોને ઝાટકી નાખવાના... ખોટી વાત.. ખોટા વિચારો ને ઝાટકી નાંખવાના તો મન અને મગજ પર બોજ નહીં રહે અને હળવાંફુલ બની જિંદગી જીવાશે.... આમ પણ ખોટા ભાર ખોટી વાતો ભરીને શું કામ છે???
માટે ચાયણી જેવા ના બનશો .... નહીંતર ગુણો ચળાઈ જશે ને દોષોના કાંકરા રહી જશે જે અંદર ખૂંચ્યા કરશે અને જિંદગી બોજ બની રહી જશે... આ તો એક ઉદાહરણ આપ્યું આવી તો કેટલીય બધી વસ્તુઓ છે જેમાંથી આપણને બોધપાઠ મળે છે... આવા કેટલાય માર્મિક પ્રતિક છે જે આપણને સમજાવી જાય છે....
ભાવના ભટ્ટ અમદાવાદ...