કોઈને મારવા નહીં આવે,
કોઈને તારવા નહીં આવે.
ઘોર કળિયુગ નખોદ વળશે,ને-
કોઈ ઉગારવા નહીં આવે.
આવશે રામ કે નહીં સીતા,
દશ મુખી હારવા નહીં આવે.
ના રહ્યા દેવકી હવે વસુદેવ,
કૃષ્ણ અવતારવા નહીં આવે.
ક્યાંય ગોવાળ ને નથી ગોકુળ;
કૃષ્ણ ગૌ ચારવા નહીં આવે.
ભક્ત પ્રહલાદ છો હવે સળગે,
વિષ્ણુ પણ ઠારવા નહીં આવે.
ના વલોણાં રહ્યા હવે ગોપી-
નોની ઉતારવા નહીં આવે.
-અશોક વાવડીયા
*નોની=માખણ,નવનીત
છંદ= ખફીફ બહર નો ૧૭ માત્રા
ગુજરાતી શબ્દો
ગાલગાગા લગાલગા ગા ગા
અરબી શબ્દો
ફાઈલાતુન મફાઈલુન ફઅલુન