કહેવત :
હથેળીનો ગોળ જ્યારે ખાવો હોય ત્યારે ખવાય.
વિવરણ : સંકૃતમાં એક સુભાષિત હતું. જેનો મતલબ છે : પુસ્તકોમાં રહેલી વિદ્યા અને બીજાના હાથમાં રહેલા ધનનો કશો અર્થ નથી. એવું પણ કહેવાય છે કે હાથમાં તેના બાથમાં. આ કહેવતનો અર્થ પણ એવો છે કે ગોળ હથેળીમાં રહેલો હોય તે જ કામનો. એ જ્યારે ખાવો હોય ત્યારે ખાઈ શકાય છે. એવી જ રીતે વસ્તુ કે વિદ્યા આત્મસાત થયેલી હોય તો જ તેનો અર્થ સરે છે.