*સારથિ*
હે! કાનુડા આપ પાર્થ ના સારથિ બન્યા. એક વાર ફરી મારા પણ સારથિ બની જાઓ.
મારે કુરુક્ષેત્ર નો યુદ્ધ નથી ખેલવુ. સંસારમાં સત્ત કર્મના મારા મન રુપી અશ્વો ના હાંકવા ને આપ સારથિ બની જાઓ.
એવી જીત નથી જોઈતી જેમાં મારા જ સ્વજન નો લોહી હોય.
મને તો ત્યાં લઈ જાઓ શ્યામ જ્યાં હું લોકોના હ્રદયમાં જીતી શકું.
મારા આ શબ્દો ની ગાથાને માધવ આપ ભલે ગીતા ન બનાવો.
આ શબ્દ શણગાર માં હું નિયમિત આવતો રહું અને કાન તારી ભક્તિ ગાન કરતો રહું.
બનસીધર હું જાણું છું મારા કર્મ એવા નથી કે સ્વર્ગમાં સ્થાન મળશે.
આપ સારથિ બનજો અંત કાળે કે હું આવતા જન્મે તો મુક્તિ પામુ.
નારાણજી જાડેજા (ગઢશીશા)
નર
મુન્દ્રા કરછ