કહેવત :
નાણાંથી કોઈ પૂરો નહીં, અક્કલથી કોઈ અધૂરો નહીં.
વિવરણ : માણસની મૂળભૂત પ્રકૃતિ વિશેની આ શાણપણભરી કહેવતનો મર્મ એ છે કે, માણસ ગમે તેટલા રૂપિયા હોય તો પણ એ તેને ઓછા જ પડે છે. તેને કદી સંતોષ થતો નથી. અને કોઈ પણ માણસ ગમે તેટલો મૂર્ખ લાગતો હોય તો પણ એ પૂરેપૂરો મૂર્ખ કદી હોતો નથી.