_*કડવું સત્ય*_
એક સાધુ નદી કિનારે પત્થર નું ઓશીકું બનાવી સૂતો હતો.
ત્યાંથી પનિહારીઓ નીકળી..
એક કહે , "સાધુ થયો પણ મોહ ગયો નહિ. ઓશિકા વગર ન ચાલ્યું. પત્થર નું તો પથ્થર નું પણ ઓશીકું જોઈએ."
સાધુએ તે સાંભળી પત્થર ફેંકી દીધો...
ત્યાં વળી બીજી બોલી , " સાધુ થયો પણ તુમાખી ગઈ નહિ. આપણે જરાક બોલ્યા એમાં તો પથ્થર ફેંકી દીધો."
*સાધુ વિચારે કે હવે શું કરવું* !
ત્યાં તો ત્રીજી બોલી , "મહારાજ બધા તો બોલ્યા રાખે તમે તમારે હરી ભજન કરો."
પરંતુ , ચોથી એ એકદમ સાચી વાત કરી.
"મહારાજ , તમે બધું છોડ્યું પણ તમારું ચિત્ત ન છોડ્યું. નહિતર આ લોકો ની વાત માં ધ્યાન ન આપત."
*સાચી વાત છે ને* !!!
_*લોકો આપણું અપમાન કરવા નિંદા કરવા દ્વેષ કરવા ઉતારી પાડવા હંમેશા તૈયાર જ હોય છે.*_
∆ *ઊંચે જોઈને ચાલો તો કહેશે કે , અભિમાની છે.*
∆ *નીચું જોઈને ચાલો તો કહેશે કે , જાણે મોટો લાટ સાહેબ હોય એમ કોઈ સામે જોતો નથી.*
∆ *આંખ બંધ રાખી બેસો , તો કહેશે કે દુનિયા સાથે લેવા દેવા નથી.*
∆ *બધે જોયા રાખશો તો કહેશે કે ચકળ વકળ જોયા રાખે છે. નજર કેવી છે , જો તો....*
∆ *આંખ ફોડી નાખો તો કહેશે કે , જો અંતે કર્મો ની સજા ભોગવી.*
*લોકો ને તમે પહોંચી શકતાં નથી. બસ સારા કર્મ કર્યે જાવ.પ્રભુ મય પ઼કૃતિ નું સ્મરણ કરતા રહો .*?
- અજ્ઞાત