કાલથી ૩૫ દિવસથી બંધ બારણા નવી કિલકારી સાથે ઉઘડશે,
ધુંધળી, ધુળથી લથબથ,એકાંત માં સુતેલી શાળા, તેના પોતીકાને આવકારવા આજ આળશ મરડીને ઊભી થાશે...
બાળકો ના અવાજ થી ઝાડ માં પણ નવી કૂપળો ખિલશે...
ખરેખર , આપણે વૈજ્ઞાનિક રીતે માનીએ કે વસ્તુઓ સ્થુળ ને નિર્જીવ છે પણ તેની સાથે રહેતા પોતીકાપણા ને લીધે તે પણ જીવિત લાગે છે, તેની સંવેદના પણ અનુભવી શકાય છે......
તારીખ: 10-06-2019 થી શરૂ થતાં નવીન શૈ. સત્ર ની સર્વે શિક્ષક મિત્રોને મારી શુભેચ્છાઓ. નવુ શૈક્ષણિક વર્ષ અાપને યશ અાપે તેવી શુભેચ્છાઓ .