*પર્યાવરણ*
બીજ કહે મને અંકુરિત થવા દો, હું આવરણ આવતી કાલનો .
આજ ધરતીના ખોળે મોટો થઈ,
હું છું સુંદર વૃક્ષ આવતી કાલનો.
મને ભલે ને આપજો થોડું પાણી,
હું વર્ષા સાથે હિસાબ આપીશ કાલનો.
ભલે થોડું ખાતર આપજો હેતનો,
હૂં મીઠો ફળ એક દિવસ આવતી કાલનો.
કઈ ના આપો તો પણ ચાલશે પણ વગર વાંકના કુહાડી ના ઘા નહીં આપનાં.
હું આપતો રહીશ માનવી તને પ્રદુષણમા માં જીવનદાન ઉચ્છવાસમાં.
હું ધરતી નો શણગાર હું વર્ષા નો આધાર, પર્યાવરણ વિના નહીં પૃથ્વી છે લાચાર.
મને કાપી તું તારા બાળકોને ન કર નિરાધાર, વૃક્ષ છે તો પર્યાવરણ.
નર કહે નહીં તો ધરતી થાસે વિરાન, જીવ નહીં મળે મર્યા પછી સમસાણ.
નારાણજી જાડેજા
નર
મુન્દ્રા કરછ.