મને કોઈ પ્રેમ પર લખવા નું કહે તો... હું કસું નથી લખી સકતો.. કેમ કે પ્રેમ પર લખવું એટલે સ્મૃતિઓ ને ખંખેરવી, અનુભવો ના દબાયેલા મડદાઓ ને ઘોર માં થી ખોદી કાઢવા.... આ બધું કાર્ય પછી સ્વાભાવિક છે કે પ્રેમ પર લખ્યા પછી માત્ર વેદના સિવાય કશું જ હાથ માં નથી આવતું..
પ્રેમ થી મને કોઈ જન્મજાત દુશ્મનાવટ પણ નથી અને કોઈ પોતાનાપણા નો સંબંધ પણ નથી જ... પ્રેમ પાસે થી ઘણું બધું શીખી સકાય છે.. અને હું શીખ્યો પણ છું... પ્રેમ ના ચરમે મને વિભત્સતા દ્રેષ અને ઈર્ષા જેવી સૌથી વધુ ભૌતિક શબ્દો સીખ્વાડ્યા છે અને નફરત પણ...
સાચું તો એજ છે કે... હું જ્યારે જ્યારે રડ્યો પ્રેમ ના અભાવ માં કે પ્રેમ ના ભાવ માં જ રડ્યો છું..
સંવેદના જેવો વ્યર્થ બીજ પણ મેં રોપ્યા છે.. હું ક્યારેય પ્રેમ સાચા ખોટા નું અંતર માપી જ નથી સક્યો..
બસ પ્રેમ જોડે થી પક્ષપાત કરતા જ શીખ્યો છું..
પ્રેમ ને આધાર બનાવી ને મેં મિત્રો બનાવ્યા.. અને એ મિત્રો માં થી સર્વશ્રેષ્ઠ મિત્ર ને શોધી પણ કાઢ્યા..
મેં માત્ર ભગવાન ને પ્રેમ થી સંબોધી ને આખી દુનિયા ને ધુત્કાર ની દ્રષ્ટી થી જોવા લાગ્યો..
પુણ્ય હંમેશા પાપ થી ઉપર છે એવું હું માનતો આવ્યો..
પ્રેમ ના બદલા માં પ્રેમ ચાહ્યો.. પણ મને પ્રેમ ના બદલામાં માત્ર ધ્રુણા અપમાન અને ઉપેક્ષા જ મળી..
મને પ્રેમ સાગર માં તરતા નથી આવડતું.. બસ હું તો ડૂબવા માં જ માનું છું..
મેં પ્રેમ ને જેવો મહેસુસ કર્યો એવો જ મેં વર્ણવ્યો છે.. કોઈ દિવસ બીજા ની દ્રષ્ટી થી વર્ણવા ની કોશિશ નથી કરી..
મેં પ્રેમ ની કેટલીય પરિભાષાઓ આપી છે...
મેં પ્રેમ ને અપેક્ષાઓ ના ત્રાજવા માં તોળ્યો છે...
મેં પ્રેમ માં લેવા-દેવા ની અને સૌદાબાજી કરવા નું પણ શીખ્યો છું..
જેમ એક પાખંડી ધર્મ ના પ્રચારક ની જેમ..
પ્રેમ ને પ્રેમ કહી ને હું વર્ષો થી વાહ-વાહી જ લીધી છે..
અને હું આવી રીતે ભાવનાઓ ના બઝાર માં પ્રેમ નો વહેપારી બની ગયો છું..
પણ સાચું તો એજ છે કે હું આખું જીવન પ્રેમ ના નામ થી ઠગાયો છું..
અને પ્રેમ ના ચિકણા રસ્તા પર વારંવાર લપસી પણ પડ્યો છું...
મેં મારા પ્રેમ ને બીજા ઉપર ઉપકાર ની જેમ નાખી દીધો છે... અને બદલા માં મેં એમનો પ્રેમ ચાહ્યો.. પણ મને શું મળતું માત્ર ઉપેક્ષા જ...
લોકો પ્રેમ કરી કરી ને બદલાતા રહ્યા અને હું સ્થિરતા માં સ્થિર થતો રહ્યો..
પહેલા મેં દુખી થવા નું શીખ્યો અને પછી દુઃખી રહેવા નું શીખ્યો છું આ પ્રેમ પાસે થી જ..
અને આવી રીતે પ્રેમ બિંદુ થી શરૂઆત કરી ને, દુઃખ,અવસાદ,ઉપેક્ષા, અપમાન, અવિશ્વાસ, નિરાશા, નફરત અને ધ્રુણા સુધી ની લાંબી સફર સર કરી છે.. અને અંતતઃ પ્રેમ માં લુપ્ત ઈશ્વર ને પૂજતા પૂજતા હું પ્રેમ રૂપી નાસ્તિક થઇ ગયો છું...
આ મારા ખુદ ના પ્રેમ ની પરિભાષા છે...