#KAVYOTSAV -2
પરિશ્રમની પરાકાષ્ઠા...
ભલે હોય સુખની પળો જીવનમાં પણ...
નિયતિ આખરે એની થઈ હરખાય છે,
ક્યારેક બીજાને છેતરીને પણ...
પરિશ્રમ કરનારના મોઢે એ વખણાય છે..!!
ભલે લાગ્યો માત્ર નસીબનો ખેલ પણ...
નિયતિ એનું ધાર્યું કરવાજ જાય છે,
ક્યારેક અણધાર્યા ખેલ ખેલીને પણ...
પરિશ્રમની જ બનવા એ સર્જાય છે...!!
ભલે સફળતા ભ્રમિત કરે પણ...
નિયતિના રંગે જ એ રંગાતી જાય છે,
એટલેજ તો ભલ ભલા પણ...
પરિશ્રમની જ પરાકાષ્ઠા જોતા જાય છે..!!
*****
સદા ખુશ રહો...
સદા જીવંત રહો...
જય શ્રી કૃષ્ણ...