“ અંતરયાત્રા “
ચાલને બહારના આ ઝાકમઝોળ અજવાળાને છોડીને,
જરા ભીતરના રમણીય ઉજાસને મળી આવીએ.
બહારના આ ખળભળાટને થોડી વાર અવગણીને,
જરા ભીતરના અભેદ્ય એકાંતને મળી આવીએ .
બહુ મળતા રહ્યા દુનિયાના અતરંગી લોકોને,
હવે ખુદના સતરંગી આત્માને મળી આવીએ.
બહારના આ ક્ષણભંગુર સુખને થોડીવારભૂલીને,
જરા ભીતરની શાશ્વત શાંતિને અનુભવી લઈએ.
બહાર તરફની આ નિરર્થક દોડને થંભાવીને,
ચાલને જીવનનો કશોક અર્થ શોધી લઈએ..
-આરતી રાજપોપટ.