English Quote in Shayri by બાબા સત્સંગી

Shayri quotes are very popular on BitesApp with millions of authors writing small inspirational quotes in English daily and inspiring the readers, you can start writing today and fulfill your life of becoming the quotes writer or poem writer.

જિંદગીએ જ્યારે જ્યારે અણગમતા નિર્ણયો લેવડાવ્યા છે ત્યારે હંમેશાં તકલીફ થઈ છે. આવું મારા પક્ષે જ કેમ ? એવા પ્રશ્નો પણ થયા છે. પણ, સામી બાજુએ ઈચ્છા બહારનું સુખ – જિંદગીએ જ્યારે મારા ખોળામાં ભરી આપ્યું છે ત્યારે પેલી બધી જ તકલીફો ભુલાઈ ગઈ છે. જિવાય ગયેલાં 50 વર્ષોમાં જિંદગીએ – સંજોગોએ મને જે કંઈ પણ શિખવાડ્યું છે એમાંની ત્રણ વાતમાં હવે મને સૌથી વધારે શ્રદ્ધા છે…. એક, જે કંઈ પણ થાય એ બધું સારા માટે જ… બીજું, જે કંઈ પણ આપણા હિસ્સે લખાયું હોય એ બધું આપણને મળે જ છે અને ત્રીજું, જ્યારે આપણે સાચા હોઈએ ત્યારે લડી લેવાનું, ન્યાય વહેલોમોટો આપણા પક્ષે જ આવે છે.

- અજ્ઞાત

English Shayri by બાબા સત્સંગી : 111156271
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now