વાણી થકી ઓળખાય છે માનવી.
વાણી થકી જ સમજાય છે માનવી.
પ્રથમદર્શી પરિચય વાણી આપતી,
આરોહ અવરોહથી પમાય છે માનવી.
પરા,પશ્યતિ , મધ્યમાને વૈખરી છે,
પરા સાંભળીને હરખાય છે માનવી.
કૂવામાં હોય એવું આવે હવાડામાં,
અંતરની ઓળખ થાય છે માનવી.
વૈખરી એ તો કાકવાણી જ સમજો,
સંબંધમાં તાળાં લાગી જાય છે માનવી.
પરા એ તો સંતપુરુષોની વાણી છે,
કૈંકના જીવન એથી પલટાય છે માનવી.
ચૈતન્ય જોષી પોરબંદર. ' દીપક '