#Moralstories ( હ્રદય પરિવર્તન )
ઉનાળાના આકરા દહાડા હતા, બપોરનો તડકો ધોધમાર વરસી રહ્યો હતો.
એટલે ચારેબાજુ શાંત વાતાવરણ હતું !
બીજી તરફ બાવજી મંદિરના આગળ ખાટલો ઢાળીને નિરાંતે આરામ માણતાં હતા .
ત્યાંજ અચાનક દોડધામ કરતુ જંગલી સુવરનું ટોળુ પસાર થઈ રહ્યું હતું ! જાણે ધરતીના પડ ધ્રુજતા હોય એવું બાવજી ને લાગ્યું તો એમની નજર એ તરફ ગઈ
જાણે સુવરના ટોળા પાછળ પહાડી શિકારી હાથમાં તીર, ભાલો, કુહાડી લઈને પાછળ પાગલ બનીને પડ્યા હતા !
જાણે કોઈ દાનવ વરસોથી ભૂખ્યો બની ધરતી પર દોડી રહ્યો હોય , એવું દારુણ દ્રશ્યનું બાવજીના મનમાં ખડું થયું
બાવજી આ જોઈને મનમાં બોલ્યા " હે પ્રભુ આ ભોળા શિકારીઓને સદ્દભાવના આપ. જે રીતે અબોલા જીવ પાછળ પડીને તેનું ક્રૂરતા પૂર્વક મારણ કરે છે તે અયોગ્ય છે
એવામાં જ અડધા શિકારી સુવર પાછળ દોડી દોડી થાકી ગયા એટલે તેમનું ગળું પાણી વગર સુકાવા લાગ્યું ! એટલે તે મંદિરના પ્રાંગણમાં પાણી પીવા માટે આવ્યા ?
તેમને નજીક આવતા જોઇને બાવજી એ કહ્યું " હે કાળા માથાના માનવીઓ તમે શું કામ આ નિર્દોષ જાનવરોનું મારણ કરે છો ? જેટલો તમને આ ધરા પર જીવન જીવવાનો હક છે એટલો આ અબોલા પ્રાણીઓ નો પણ જીવન જીવવાનો હક છે !
શિકારી બોલ્યો " બાવજી અમારા વંશજો પણ શિકારી હતા , એટલે અમે પણ શિકાર કરીએ છીએ !
બાવજી - " અા તો મહા પાપ કહેવાય તેનું કર્મોનું ફળ પ્રભુ તમને બધાને પીડા દાયક અવશ્ય આપશે ?
શિકારી - " અમે કાંઇ પાપ, પુણ્ય નહિ જાણતા, કારણ કે અમે બધા અભણ અને ના સમજ છીએ ?
બાવજી - " બસ તમે પ્રભુ શિવનું નામ મનથી રટણ કરો ભીતર અવશ્ય શાંતિ મળશે " !
પછી શિકારીઓ તન, મન થી પ્રભુ નું નામ રટણ કરે છે ત્યારે જ હ્રદયમાં સુખદ શાંતિ મળી હોય એવી અદ્ભુત અનુભૂતિ થાય છે
આમ તેમનું પાપી હ્રદય પરિવર્તન થઈ ગયું, અને બાવજીને પગે પડી ગયા .
---- શેખર ખરાડી ઈડરિયા
( ઈડર , ગુજરાત )