વાત કરું મારી તો...
નીકળી હતી હું મારા દુઃખ સાથે,
જેમ જેમ બધા ને મળતી ગઈ,
તેમ તેમ સમજાયું કે ,
અહીં સૌ કોઈ મારા સાથી છે.
જોઈએ છે સૌ ને અહીં ખુશી,
નથી દુઃખ લેવા તૈયાર અહીં કોઈ,
આ વાત લઈ હું ગઈ મંદિર
ભગવાન કહે,
છું હું તમારાથી વધુ દુઃખી
પસ્તાવું છું હું આજે મનુષ્ય બનાવી
હોય તેથી ઓછા દુઃખ દીધા સૌ ને
તેમ છતાં આવે અહીં અનેક ફરિયાદી...
❤️Kr❤️