શીળો સારો હોય તો, બાવળનેય બેસાય;
(પણ) શૂળું નો સંઘરાય, કોઠી ભરીને કાગડા !
પોતાને ઉપયોગી થાય એવું કોઈ ઝાડ પાસે ન હોય અને ફક્ત બાવળ જ હોય, વળી તેનો છાંયો ઘાટો હોય તો તે બાવળને છાંયે સુખેથી બેસાય છે, પણ તેથી તેના કાંટાનો કોઠી ભરીને ઘરમાં સંગ્રહ ન થાય. અર્થાત્ કોઈ વસ્તુનો ગુણ હોય તેનો ઉપયોગ કરવો, પણ તેની જ સાથે રહેલી અવગુણકારક અથવા નકામી વસ્તુ પર મોહ ન રાખવો.
- કાગ બાપુ