જિંદગીની વાતો કાગળ પર ઉતારી છે,
જ્યાં પડી ભૂલો અમે એને સુધારી છે.
હું નિખાલસ ભાવે જ્યાં બોલી ગયો વાતો ,
તો કહે વાતો બધી ક્યાં સારી સારી છે!
આ નકાબો ચાહનારા લોકો છે જગના,
ક્યાંથી બોલું લાગણીઓ મુજ કુંવારી છે.
વેદનાને તો કસોટી રાખી માપે છે,
ને કહે છે વેદના ક્યાં એકધારી છે.
મારે પિચકારી આ ધોળેલી દિવાલો પર
ને એ પૂછે કોણે પિચકારી આ મારી છે ?
સાથ છે પળભર પછી ચાલ્યા જવાનું છે ,
આવી વાતોની બધે ચાલી સવારી છે.
તું જણાવી જો જરા તકલીફ લોકોને ,
ઓછા બોલે વેદના તુજ ,એ અમારી છે.
ફૂલ ને કાંટાનો નિત સ્વીકાર કર્યો છે,
રીત આ લઇ જિંદગીને તો મઠારી છે.
િજજ્ઞેશકુમાર ડી. ત્રિવેદી 'પ્રકાશ'