#merekrishna
મારા કાન્હા એટલે એક કૃષ્ણ-કાળો મેઘઅષાઢી રંગ, એની અડધી મીંચાયેલી આંખો ને એ રંગ, જે એમના મસ્તક પર રહેલ મોરપીંછ સાથે ભળી જતો હોય ને એ મોરપીંછ મસ્ત પવનથી લહેરાતું હોય. મારે મન કૃષ્ણ એટલે એ લહેરાતો પવન જે મારા ગાલે સ્પર્શ થતાં મને કૃષ્ણે સ્પર્શ્યાનો અહેસાસ થાય.
મારા મન કૃષ્ણ સદાય હસતો ચહેરો નથી. કોણ હસી શકે જ્યારે આજદિન સુધી પોતાના માતાપિતા માનેલા નંદબાબા-યશોદા એમના જન્મદાતા-દાત્રી છે જ નઇ.! શું કૃષ્ણને સંવેદના નહોતી તે એ હસે.? ને કૃષ્ણ તો મન ભરીને જીવ્યા છે. મન ભરીને રડનાર જ મન ભરીને હસી શકે.
કૃષ્ણ એટલે મારી હથેળીમાં લખેલું એ નામ જેને સ્પર્શીને હું કોઇપણ મુસીબતમાં એમના સાથે હોવાનો અહેસાસ કરી શકું.