અભિષેક

(38)
  • 3.5k
  • 0
  • 1.6k

અમદાવાદથી યોગનગરી એક્સપ્રેસ બરાબર એના સમય પ્રમાણે જ સવારે ૧૦:૪૫ વાગે ઉપડયો. અભિષેકે અમદાવાદથી ઋષિકેશ સુધીનું રિઝર્વેશન પણ મુંબઈથી જ કરાવેલું હતું એટલે બીજી કોઈ ચિંતા નહોતી અને વિન્ડો ટિકિટ પસંદ કરેલી જેથી મુસાફરીનો પૂરો આનંદ માણી શકાય. આ ટ્રેઈનમાં મોટાભાગે ગુજરાતીઓ જ વધારે પ્રવાસ કરતા. અભિષેક ગઈકાલે રાત્રે જ મુંબઈથી અમદાવાદ આવી ગયો હતો અને સ્ટેશનની સામેની એક હોટલમાં રાત રોકાયો હતો. આમ તો અમદાવાદમાં ખાડિયા ગોટીની શેરીમાં એનાં સગાં ફોઈ રહેતાં હતાં પરંતુ અત્યારે મમ્મીનાં અસ્થિ લઈને એ ઋષિકેશ જઈ રહ્યો હતો એટલે ફોઈના ઘરે જવાની એની ઈચ્છા ન હતી.

1

અભિષેક - ભાગ 1

*અભિષેક* પ્રકરણ 1અમદાવાદથી યોગનગરી એક્સપ્રેસ બરાબર એના સમય પ્રમાણે જ સવારે ૧૦:૪૫ વાગે ઉપડયો. અભિષેકે અમદાવાદથી ઋષિકેશ સુધીનું રિઝર્વેશન મુંબઈથી જ કરાવેલું હતું એટલે બીજી કોઈ ચિંતા નહોતી અને વિન્ડો ટિકિટ પસંદ કરેલી જેથી મુસાફરીનો પૂરો આનંદ માણી શકાય. આ ટ્રેઈનમાં મોટાભાગે ગુજરાતીઓ જ વધારે પ્રવાસ કરતા.અભિષેક ગઈકાલે રાત્રે જ મુંબઈથી અમદાવાદ આવી ગયો હતો અને સ્ટેશનની સામેની એક હોટલમાં રાત રોકાયો હતો. આમ તો અમદાવાદમાં ખાડિયા ગોટીની શેરીમાં એનાં સગાં ફોઈ રહેતાં હતાં પરંતુ અત્યારે મમ્મીનાં અસ્થિ લઈને એ ઋષિકેશ જઈ રહ્યો હતો એટલે ફોઈના ઘરે જવાની એની ઈચ્છા ન હતી.અભિષેકની વહાલસોઈ મમ્મી એક મહિના પહેલાં જ હાર્ટ ...Read More

2

અભિષેક - ભાગ 2

અભિષેક પ્રકરણ 2અભિષેક મુન્શી મુંબઈથી પોતાની મમ્મીનાં અસ્થિ પધરાવવા માટે ઋષિકેશ આવ્યો હતો. એની સાથે આ પ્રવાસમાં એક સંન્યાસી પણ એના જ કમ્પાર્ટમેન્ટમાં યાત્રા કરી રહ્યા હતા.ઋષિકેશ પહોંચ્યા પછી મહાત્માજીએ અભિષેકને કહ્યું કે અસ્થિની સાથે એની મમ્મી પણ ઋષિકેશ આવી છે અને તારી પાછળ જ ઊભી છે ત્યારે અભિષેક ચમકી ગયો. એણે ચમકીને પાછળ જોયું ત્યાં સુધીમાં તો સાધુ મહાત્મા અદ્રશ્ય થઈ ગયા હતા.પોતાની સાથે આવો ચમત્કાર પહેલી વાર થયો હતો એટલે અભિષેક હજુ પણ આ ઘટનાને સમજી શકતો ન હતો. સાધુ મહાત્માએ હવામાંથી એને પૂરી શાક અને દહીં આપ્યાં હતાં એ પણ એને યાદ આવી ગયું. આ સાધુ ...Read More

3

અભિષેક - ભાગ 3

*અભિષેક* પ્રકરણ 3અભિષેક સ્વામી નિર્મલાનંદનો આશ્રમ શોધતો શોધતો બદ્રીનાથ રોડ ઉપર ઘણે દૂર સુધી આવ્યો હતો અને છેવટે એને મળી ગયો હતો. એના આશ્ચર્ય વચ્ચે ટ્રેઈનમાં જે સાધુ મહાત્મા એને મળ્યા હતા એ પોતે જ નિર્મલાનંદ સ્વામી હતા !સ્વામીજીએ એને પાછલા જનમના કોઈ પાપકર્મનું પ્રાયશ્ચિત કરવાનું કહ્યું હતું પણ એ વિશે કોઈ ખુલાસો કર્યો ન હતો. સ્વામીજીએ એ જ વખતે એને ગાયત્રી મંત્રની દીક્ષા પણ આપી હતી.અભિષેક જાણવા માગતો હતો કે સ્વામીજી એની સાથે એના જ કમ્પાર્ટમેન્ટમાં છેક અમદાવાદથી કેમ બેઠા હતા પણ સ્વામીજીએ એનો જવાબ ટાળ્યો હતો અને અચાનક એના આશ્ચર્ય વચ્ચે એ અદ્રશ્ય થઈ ગયા હતા. એ ...Read More