🙏🏻🙏🏻
કૃષ્ણ એટલે શું
જે માટી ખાઈ શકે એજ બ્રહ્માંડ પણ બનાવી શકે.કણ કણ એજ મણની સમજણ એટલે કૃષ્ણ.
જે મહાભારત જીતાડી શકે એજ રણ પણ છોડી શકે ક્યારે જીતવું એ નહિં, પણ ક્યારે ના લડવું એની સમજણ એટલે કૃષ્ણ!
જે વાંસળી વગાડી શકે એજ સુદર્શન પણ ચલાવી શકે
કોમળતા અને કઠોરતા વચ્ચેની સમજણ એટલે કૃષ્ણ !
જે માખણની માટલી ફોડી શકે, એજ સુદામાની પોટલી માંથી તાંદુલ પણ ખાઈ શકે સમય અને જગ્યા જોઇ વર્તવાની સમજણ એટલે કૃષ્ણ !
જે મથુરા ને ત્યાગી શકે, એજ દ્વારકા ને બાંધી શકે ક્યાં ન થોભવું ને ક્યાં અટકી જવું એની સમજણ એટલે કૃષ્ણ !
જે ગોપીઓના ચિર ચોરી શકે, એજ દ્રોપદીને ચિર આપી શકે. નટખટતા અને ગંભીરતા વચ્ચે સમજણ એટલે કૃષ્ણ!
🌹💞🙏🏻🙏🏻