વિશ્વાસનો અકાળ અંત
ભરોસો તૂટ્યો ત્યારે શબ્દો પણ ખામોશ થઈ ગયા,
જેના પર હતો અતુટ વિશ્વાસ, એ જ પરાયા થઈ ગયા.
વચનો આપ્યા હતા ઘણા, પણ સચ્ચાઈ ખૂટી ગઈ,
એ હસતા ચહેરા પાછળ, કેટલાય મહોરા છુપાઈ ગયા.
દુખ એ નથી કે જીવનના રસ્તાઓ બદલાઈ ગયા,
દુખ તો એ છે કે સગા પોતાના જ બદલાઈ ગયા.
હવે શબ્દોને મનમાં જ દબાવી રાખવાનું શીખી લીધું,
કારણ કે હૂંફ આપનારા જ અમને અંદરથી તોડી ગયા.
અમે સાચા હોવા છતાંય કાયમ ખોટા જ ઠર્યા,
સમયની અદાલતમાં બધા સવાલો પણ મૌન થઈ ગયા.
હવે ભરોસો ઓછો અને સમજણ વધારે થઈ ગઈ છે,
દગા મળ્યા પછી જ જીવનના સાચા અર્થ સમજાઈ ગયા છે.