વિષય: રથયાત્રા
શીર્ષક: જીવનરૂપી રથ
પ્રકાર: ગદ્ય (અછાંદસ)
પિંડમાં પ્રસ્થાપિત પરમાત્માની પ્રાપ્તિ,
મનથી મનોરથના મહોત્સવની ઉજવણી...
આત્માથી પરમાત્માની પરમ અનુભૂતિ,
રથયાત્રા એ શ્રીજગન્નાથજીની પાવન ઝાંખી...
આ રથયાત્રા માત્ર બહાર દોડતા રથની યાત્રા નથી, એ તો અંદર દોડતા મનની યાત્રા છે...
જયાં ભક્તિરૂપ રશ્મિઓથી જોડાયેલા ઘોડાઓ છે,
વિશ્વાસની પાંખો છે,
અને અહંને ત્યજી મુક્તિ તરફ દોડતું મન છે...
એ જ છે યાત્રાનું સચ્ચું સ્વરૂપ.
એ જ છે “મનોરથ”.... મનની ઈચ્છા નહી, મનની શ્રદ્ધા.
આ યાત્રા આંખની નહીં, અંતરદ્રષ્ટિની છે;
સ્પર્શથી નહીં, શ્વાસમાં થતી હાજરીની છે.
જ્યાં નયનમાં દર્શન ન હોય,
ત્યાં અંતરમાં અલૌકિક અનુભૂતિ હોય...
એ જ સચ્ચી યાત્રા છે, એ જ છે પરમ સાક્ષાત્કાર...
ભગવાનનો પ્રેમભર્યો સ્પર્શ...
ભગવાન જગન્નાથ સૌના જીવનરૂપી રથને યોગ્ય દિશા આપે,
અને સૌના અંતરમનમાં વાસ કરે…
જય શ્રીજગન્નાથ...
જય શ્રીકૃષ્ણ
રાધે રાધે...
દર્શના "મીતિ"