🚩
💠 *ભગવાનનો ભાગ..‼️*💠
*નાના હતા ત્યારે બા બધા બાળકોને બધી જ વસ્તુના ભાગ પાડી દેતી.*
*અમે કાકા બાપાના થઇ ૧૩ બાળકો.
ફ્રુટ,ડ્રાયફ્રુટ કે મીઠાઈ ભાગ જરૂર પડતા.
ધારોકે દ્રાક્ષ હોય તો ૧૩ વાટકીમાં બધાને ૩૫-૩૫ દાણા અપાતા અને પછી ૧૪મી વાટકી મૂકી બા કહેતી કે *“આ ભગવાનની વાટકી છે",*
🍛🍛🍛🍛.....🍛🍛🍛🍛
તમારામાંથી બધાએ એમાં ૨-૨ નંગ મુકવાના. અને અમે એવું કરતા પણ ખરા.
ભગવાનની વાટકી એમ જ ભરેલી પડી રહેતી અને અમે રમવા ચાલી જતા.*⛹🏻♂️⛹🏻♀️
⚡☘️⚡
*ઘણીવાર એમ બનતું કે અચાનક કોઈ મહેમાન આવી જાય,તો
એ વાટકીમાંથી એમને પણ પીરસાતું
અને કોઈ ના આવે તો એને ઝાડ નીચે પધરાવવાનું..
અને પક્ષીઓ,કીડી મંકોડાને આ ખાતા અમે જોઈ રહેતા..🪰🦉🪱🐛🦟
🎋
*બા અમને એ રીતે શીખવાડ્યું કે આંગણે આવેલા મહેમાન,ભિક્ષુક કે જીવજંતુ રુપે ભગવાન આવીને એમનો ભાગ ખાઈ જાય છે.* ‼️
🧏🏻
*અમને ક્યારેય એવું ના લાગ્યું કે બાજુવાળા રમીલામાસી આવીને કેરી ખાઈ ગયા❗
અમને સંતોષ હતો કે
*ભગવાન જ આવીને લે છે.*‼️
☣️
*સાયકોલોજીકલી આ વાતની કેટલી અસરો અત્યારે પણ મારા જીવનમાં પડે છે❗
બાનું ગણિત કેટલું સાચું હતું❗
🔸અત્યારે પણ હું જમવા બેસું ને કોઈ આવી જાય,તો મારો મુડ નથી બગડતો.
🔹બિલાડી આવીને દૂધ પી જાય,ઢોળી નાખે,
🔸ઢાંકીને મુકેલા લાડૂ પર કીડીઓ ચડી જાય તો ગુસ્સો નથી આવતો..
એ રીતે ભગવાન એમનો ભાગ લઇ રહ્યા છે એમ માની હળવી થઇ જાઉં છું.❗
💔
*સૌથી મોટો ફાયદો એ થયો કે ક્યારેય એવું નથી લાગ્યું કે
“જોયું.❓મેં આપ્યું❗
હું બીજા કરતા ચઢિયાતી છું.
મેં ના આપ્યું હોત તો એનું શું થાત❗
આમ ક્યારેય અભિમાન નથી આવ્યું અને અભિમાન ના આવે એટલે છકી પણ ન જવાય❗
*દોસ્તો,ભગવાને તો આપણને કેટલું બધું આપ્યું છે❗
માતા પિતા,ભાઈ બહેન,દાદા દાદી,આખું કુટુંબ,
રહેવા માટે ઘર ખાવા માટે અનાજ,સૂર્ય ચંદ્ર,ફળફળાદી,પૃથ્વી આકાશ,જળ વાયુ ને કાઈ કેટલુય.❗☘️❗
*હવે થોડુંક આપીએ તો એનો અહંકાર શો.❓_*
🔸 *માતાએ નાના ભાઈને કશુંક વધારે આપ્યું તો એ મારામાંથી ભગવાનનો ભાગ હતો એમ માનીએ તો કેટકેટલા સંઘર્ષો અટકી જાય🪴*
*કેટલા કેસ સમૂળગા બંધ થાય..*👐
*અહંકાર ને મન દુઃખ કશું જ ના રહે ત્યારે જીવવાની કેવી મઝા આવે.❗*
🔰
*ગીતામાં શ્રીકૃષ્ણ એ કહ્યું છે..*
*“તું કર્મ કર ❗ફળની અપેક્ષા ન રાખ ❗
ફળ તને આપો આપ મળશે.”* 🌳
*_તો આ રીતે જીવીશું તો આપો આપ જ ફળની અપેક્ષા નહિ રહે.‼️_*
💫☘️💫
*ઈશ્વર કરે આપણે બધાજ આવા અહોભાવથી જીવી શકીએ.❗*