The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
ખુલ્લાં મનથી વાતો કરનારા માણસો, હ્દયમાં ઉંડે સુધી બેસી જાય છે, બોલે મુખેથી બે જ સાચાં શબ્દો, હૃદયને સ્પર્શી સ્મિત આપી જાય છે, એમની વાતોને ધ્યાનમાં લઈ લેવાથી, જીવનો રસ્તો ખુલ્લો થઈ જાય છે, ત્યાગ, સમર્પણ, ધ્યાન આવું ઘણું છે, જીવ સ્વીકારે તો પ્રાપ્તિ મળી જાય છે. મનોજ નાવડીયા
"માતૃભાષા આપણા હૃદયમાં રહેલી હોય છે, એ મુખેથી નહીં પણ આપણાં હૃદયમાંથી આપો આપ બહાર વહેવા માંડે છે" શું કહું મારી મા વિશે ? આ જગતમાં એવો કોઈ શબ્દ નથી, જે માને તોલી શકે ? જગતમાં "મા તું જ એક હિતકારી". આ વિશ્વમાં મા જેવું કોઈ હિત ના ઇચ્છે. જે શબ્દ હું જન્મતા જ બોલ્યો, એ જ મારી માતૃભાષા. પછી ભલે એ ગુજરાતી હોય, હિન્દી હોય કે અંગ્રેજી હોય. પણ હું તો ગુજરાતી છું એટલે મારી ભાષા પણ ગુજરાતી છે. મને ગુજરાતી બોલવામાં બોવ ટાઢક મળે. મને ગર્વ છે કે હું ગુજરાતી છું. મનોજ નાવડીયા #matrubhasha
ઠાકયો છું, હવે વિસામો શોધું, મળે બે ઘડી, થોડું એકાંત શોધું. મનોજ નાવડીયા
મને તો બધું અહીં મારું જ સાચું જ લાગે, પોતાના અહમ્ને ઓળખે એવી આંખો ક્યાં, જીવનનાં ખેલમાં તું ખોટું ક્યાં સુધી કરીશ, અંતે પરીક્ષક તો સત્ય બહાર જરૂર લાવશે, કોઈ સમજાવે સાચું તો પણ ખોટું જ માને, પોતાના કર્મને સુધારે એવું પવિત્ર મન ક્યાં, વિધાર્થીને પણ એમ લાગે કે બધું સાચું લખ્યું, અંતે પરીક્ષક તો સત્ય બહાર જરૂર લાવશે. મનોજ નાવડીયા
જીવનનાં ખેલમાં ખોટું ક્યાં સુધી કરીશ, અંતે પરીક્ષક સત્ય બહાર જરૂર લાવશે. મનોજ નાવડીયા
આ દર્દો તો હંમેશા મારી પાછળ પડ્યાં છે, એક મટે નહીંને બીજાં હજું પાછળ ઉભા છે, બીજાને કહીએ તો મીઠું ભભરાવે એવાં છે, દર્દ સાજા કરેને એવા કોઈ હજું મળ્યાં નથી, થાય એમ કે હવે રોજ એકલાજ આથમ્યા છે, પણ સમય વહેને આપો આપ સાજા થયા છે. મનોજ નાવડીયા
ભૂલ્યો છે બધું માણસ, ઉપકાર હતાં એના ઘણાં, યાદ કોણ રાખે મુર્ખ, સુખમાં તો પોતાનું કર્મ કરે, ભીતરથી કોઈ બીજને ઓળખે, તો કોઈ વાત થાય, બહારથી બધાં જાણે, સાચું કર્મ એમ થોડું થાય, ભર્યાં કરે છે એ બંધુ, કોઈ દિવસ બીજાને આપ, જીંદગી ખોટી વહી જાશે, પુણ્ય કર્મ અઘરું નથી, ત્યજવા જેવું ઘણું છે, પણ ખૂબ અઘરું કામ છે, થોડો કઠણ બની જા, આ મુશ્કેલ કર્મ સહેલુ છે. મનોજ નાવડીયા
ભર્યાં કરે છે એ બંધુ, કોઈ દિવસ બીજાને આપ, જીંદગી ખોટી વહી જાશે, પુણ્ય કર્મ અઘરું નથી. મનોજ નાવડીયા
ભીતરથી કોઈ બીજને ઓળખે, તો કોઈ વાત થાય, બહારથી બધાં જાણે, સાચું કર્મ એમ થોડું થાય. મનોજ નાવડીયા
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser