Quotes by મનોજ નાવડીયા in Bitesapp read free

મનોજ નાવડીયા

મનોજ નાવડીયા Matrubharti Verified

@manojnavadiya7402
(1.2m)

“છે એક રંગ આભનો, તો એક રંગ ધરાનો,
કેમ ન કહું કે, છે એક રંગ આપણાં મનનો !”

મનોજ નાવડીયા

वो दौर आऐगा,
बस ज़रा ठहरना,

अभी जो अँधेरा है,
उसे भी तो गुज़रना है,

मेहनत की राह पर,
बस चलते ही जाना है,

हर हाल में अपने,
कर्म को निभाना,

नीयत में सच्चाई रखना,
दिल में ईमान रखना,

वक़्त कभी एक-सा नहीं रहता,
हर मौसम बदल ही जाता है,

जो आज आँसुओं में डूबा है,
वही कल मुस्कुराता है,

किस्मत बुरी नहीं होती,
कभी मन ही थक जाता है,

जो हिम्मत से आगे बढ़ता है,
वही मंज़िल को पाता है,

वो दौर आऐगा,
ज़रूर आऐगा...

मनोज नावडीया

#poetry #poem #kavita #manojnavadiyapoetry #manojnavadiyabooks #manojnavadiya

Read More

કેટલા સમય પછી,
આનંદ મળ્યો મનને,

એવું લાગે કોઈ દી?
હા...હવે ઘણીવાર બને,

ખરેખરની વાત થઈ છે,
એ ભીડમા ખોવાયો છે,
આજે પોતાનેજ મળ્યો છે,

એવુ બને જાણે વરસો પછી,
વરસાદ મળ્યો છે રણને,

શોધતો હતો જગ આખું,
સુખની એક ઝલક માટે,

આંખો બંધ કરી સમજાયું,
એ વસતું હતું મારાં અંતરે..

મનોજ નાવડીયા

Read More

અગત્ય :

બધાં ફૂલો સુગંધ નથી આપતા.
કેટલાક પોતાની સુંદરતાથી તો કેટલાક પોતાની કોમળતાથી મનને પ્રસન્ન કરી દે છે.

જીવનમાં પણ એવું જ છે. દરેક વ્યક્તિમાં કોઈને કોઈ વિશેષતા છુપાયેલી હોય છે. કોઈના શબ્દો, કોઈના કર્મો, કોઈના સ્વભાવ તો કોઈની નિઃસ્વાર્થ લાગણીઓ બીજાના જીવનમાં સુગંધ ભરી દે છે.

એટલે કોઈની સરખામણી કરતાં પહેલાં તેની અંદરની ખાસિયતને ઓળખવાનો પ્રયત્ન કરવો જોઈએ. કારણ કે દરેક વ્યક્તિનું પોતાનું એક અલગ અગત્ય (મૂલ્ય) હોય છે.

મનોજ નવડીયા

Read More

દુનિયાની દોડમાં ખોવાઈ જાય,
સપનાની શોધમાં થાકી જાય,
નામ-પ્રતિષ્ઠામાં ભટકી જાય,
પણ અંતે તો શું થાય?
હા, અંતે તો મળે એક જ જવાબ,
સુખના સરનામે એક ઘર મળી જાય,

સફળતાના શિખરો પર પહોંચી જાય,
એક ખાલીપો મનને કોરી ખાય,
અંતે થાકી ગયેલા પગલાં કહી જાય,
“ચાલ, હવે ઘરે પાછાં જઈએ...”

મનોજ નાવડીયા

Read More

જીવનમાં ગમે તેટલી મુશ્કેલીઓ, અવરોધો કે બંધનો આવે, છતાં આ જીવે હાર માન્યા વગર પોતાની મહેનત અને હિંમતથી આગળ વધવાની પ્રતિજ્ઞા કરવી જોઈએ.

જેમ નાનુ બીજ કઠણ પથ્થરની તિરાડમાંથી પણ બહાર નીકળીને સૂર્યપ્રકાશ તરફ આગળ વધે છે, તેમ માણસે પણ મુશ્કેલ પરિસ્થિતિઓને હરાવીને પોતાના સપનાઓ સુધી પહોંચવાનો પ્રયત્ન કરવો જોઈએ.

મુશ્કેલીઓ કેટલીય મોટી હોય, પરંતુ જો જીવવાની જીદ અને આત્મવિશ્વાસ હોય તો રસ્તો જરૂર બની જાય છે.

જીવન જીવવાની મેં જીદ પકડી છે,
આમ પથ્થર તોડી બહાર થોડો નીકળું.

મનોજ નાવડીયા

#try #life #સારાવિચાર #મારાવિચાર #મારીવાત #manojnavadiya #manojnavadiyabooks #manojnavadiyapoetry #goodthinking #goodvibes #maravichar #marivat #saravichar

Read More

આ ગુફ્તગુ, ગુફ્તગુ કેવી ચાલી રહી છે,
ક્ષણમાં ક્ષણમાં આનંદ વ્યાપી રહ્યો છે,

શબ્દોમાં પણ લાગણીઓ મહેકી રહી છે,
મૌનમાં પણ કોઈ વાત સંભળાઈ રહી છે,

નજરોથી નજરોની મુલાકાત થઈ રહી છે,
હૃદયમાં ધીમે ધીમે વસંત ખીલી રહી છે,

સમયને થોભવાની ઇચ્છા થઈ રહી છે,
દરેક પળ જાણે તારી યાદ બની રહી છે,

દૂર રહીને પણ તારી નિકટતા વધી રહી છે,
કોઈ અજાણી લાગણી ઓળખાઈ રહી છે,

આ ગુફ્તગુ, ગુફ્તગુ કેવી ચાલી રહી છે,
ક્ષણમાં ક્ષણમાં આનંદ વ્યાપી રહ્યો છે.

મનોજ નાવડીયા

Read More

બધી જ વ્યથાઓ મારે ભાગે જ આવે છે,
એક હોત તો માનું, અહીં અગણિત આવે છે,

સ્મિતની પાછળ આંસુઓને સંતાડતી આવે છે,
જિંદગીના રસ્તે હવે કસોટીઓ ઘણી આવે છે,

હવે તો એ ગળા સુધી પહોંચવા પણ આવે છે,
શું એ મારા જીવનને ખરેખર રોકવા જ આવે છે?

તૂટ્યો નથી હું, બસ થોડો સમય નીચે નમ્યો છું,
રાખ બનીને પણ ફરી અગ્નિ સામે ટકી રહ્યો છું,

સમયના પ્રહારો સામે હજુયે હું કેમ હાર્યો નથી?
કારણ કે વ્યથાઓ પાછળ નવી સવાર આવે છે.

મનોજ નાવડીયા

https://www.instagram.com/p/DaZrsogPhV_/?igsh=b2R2Y2wycmJ4aTZw

Read More