Quotes by મનોજ નાવડીયા in Bitesapp read free

મનોજ નાવડીયા

મનોજ નાવડીયા Matrubharti Verified

@manojnavadiya7402
(778)

મનને ગમતું નથી, પણ ગમાડવુ પડશે,
મોળું જીંવન નથી, પણ સુધારવું પડશે,

કદાચ મળી જાઈ, પણ ખોવું પડશે,
કડવો ઘુટ છે, પણ પીવો પડશે,

કામ ઘણાં છે, પણ દૂર ચાલવું પડશે,
કેમ ઈચ્છા નથી, પણ કરવું પડશે,

ઘેરાયેલો છું, પણ બહાર નીકળવું પડશે,
બધાં તને મારશે, પણ સહેવું પડશે.

મનોજ નાવડીયા

Read More

જે અત્યારે સમયની સાથે વહી રહ્યું છે,
વર્તમાનમાં જે અનુભવ થઈ રહ્યો છે,
એ જ સાચાં આનંદની અનુભૂતિ છે,
તું જે ઈચ્છા રાખે છે, ભુત અને ભવિષ્યની,
એ આનંદ મેળવવાનો એક ભ્રમ છે.

મનોજ નાવડીયા

Read More

જીવન તો સરળ નીકળ્યું,
પણ આ માણસ નહિં,

દૌલત, હીરા, પૈસા, રૂપનો લોભી,
પાછળ તો કેવો એ દોડે,
જાણે તોય.. સાચું લક્ષ્ય ભટક્યો,

બંધ મુઠ્ઠીમા ખૂબ જકડી રાખ્યું,
શું ખરેખર એ તારુ જ છે ?

રાખે છે આ દૌલતને તું મુઠ્ઠીમાં,
કુદરતનો ખોબો ખુલ્લો, જોઈ લે તું આકાશમાં,

બંધ હોય તો શું કામનું,
ખોલ મન અને ઢળી જા તું પવિત્ર પાત્રમાં...

મનોજ નાવડીયા

Read More

Shri Niyatiben

epost thumb

શબ્દો થકી સત્કર્મ

મોટા ભાગના લોકો વ્યર્થ જ બોલતાં હોય છે. શબ્દોનું કોઈ મૂલ્યાંકન આંકતુ નથી.

નેકી વ્યર્થ નહીં જાતી, હરી લેખાં જોખા રખતે હે,
ઔરો કો ફુલ દીયે જીસને, ઉસકેભી હાથ મહેકતે હે...

સારાં કર્મ કરતાં રહો. કર્મ જ માણસને સજ્જન મનુષ્ય બનાવે છે. ખોટાં કર્મને ઓળખતાં શિખો અને એને સામે બાથ ભીડી દો. એને ત્યાં જ થોભાવી દો, એને આગળ વધવા ના દો.

આપણાં બધાં પાસે આપણાં કપડામાં એક ખીસ્સુ હોય છે અને એ ખીસ્સામાં શું રાખતાં હોય છે? પૈસાનું પોકેટ કે રૂપિયા. એનાં વગર આ જીવન ચાલતું નથી.

એવી જ રીતે આ શબ્દો પણ હું ખીસ્સામા રાખીને ફરું છું. આ શબ્દો ઘણાં મુલ્યવાન છે.આપણને જરુરીયાત હોય ત્યાંરે જ રૂપિયા બહાર કાઢીએ છીએ. એવી જ રીતે આ શબ્દોને ગમે ત્યારે બહાર ના કઢાય. એ તો‌‌ જ્યારે જરૂર હોય ત્યારે જ સત્કર્મ માટે બહાર કાઢવા જોઈએ.


મનોજ નાવડીયા

Read More

શું છે આ બધું?

આદર જોઈએ, માન જોઈએ, સત્કાર જોઈએ,
આ બધાથી પણ જે 'પર' છે એજ સાચો જીવ કહેવાય..

મનોજ નાવડીયા

वो प्रेम कैसे मिलता ?

क्योंकी तब उमरही संघर्ष की थी,
और संघर्ष ही मैं कर रहा था..

वो प्रेम एक बार चला गया,
अब वही प्रेम फिर कैसे मिलता..

मनोज नावडीया

Read More