અેકવાર કૃષ્ણ જમતાં જમતાં ઉભાં થઈ દોડ્યાં.અને બહાર જઈ ને તરત પાછાં આવ્યા.રુકમણીજી એ ત્યારે પૂછ્યું "સ્વામી તમેં આ શું કર્યુ મનેં કાંઈ સમજાયું નહી."ત્યારે માધવે કહ્યું.....વ્હાલી....મારાં ભક્ત ને કોઈ પથ્થર મારતું હતું એટલે બહાર હું તેને બચાવવા ગયો.પણ..મારી રાહ જોયાં વગર એણે જાતે જ બચાવ માટે પથ્થર ઉપાડી લીધો.એટલે હું પાછો આવી ગયો.એને મારી જરુર જ નથી કારણકે એને પોતાનાં પર મારાં કરતાં વધારે વિશ્વાસ છે.તો મારે એની ચિંતા કરવાની જરુર જ નથી.કારણ કે એની ચિંતા એ પોતે જ કરી લે છે.મારું કામ તો ત્યાં જ પુરું.