અવળી રેખા પ્રસ્વેદથી ભૂંસી નાખ તું.
ને પછી મધુફળ મહેનત તણાં ચાખ તું.
તું જ છો તારો સુકાની કેમ ભૂલે છો તું,
તારાં પ્રત્યેક પગલાં પર નજર રાખ તું.
મુસીબત છે તો મારગ પણ હોવાનોને,
ને પછી કર્મતણી ઉગતી કોઈ આંખ તું.
સફળતા કે નિષ્ફળતામાં ના દોષ તારો,
હિંમત હારીને નબળું ભાવિ ના ભાખ તું.
કર્મ એ જ તારી પૂજાને એ જ પ્રાર્થના છે,
છોડ નિરાશાને એને તો નદીમાં નાખ તું.
- ચૈતન્ય જોષી. " દીપક " પોરબંદર.