🌿 માણસ માત્ર ભૂલને પાત્ર છે... 🌿
માણસ દેવ નથી કે જે ભૂલ ના કરી શકે. દરેક વ્યક્તિમાં કંઇક સારું હોય છે... તો કેટલીક ખામીઓ પણ હોય છે...
જો આપણે માત્ર ખામી શોધતા રહીશું, તો જીવનમાં કોઈ સાથે લાંબો મુસાફરો શક્ય જ નહીં બને.
જેમ જેમ જીવન આગળ વધે છે, તેમ તેમ સમજાય છે કે – "દરેક માણસમાં સો ટકા સારો કે સો ટકા ખરાબ ગુણ હોતા નથી." એજ સમજદારીના તંતુ પર જ સંબંધો ટકે છે.
કોઈની એક ભૂલ પર આખું વ્યક્તિત્વ ન આંકવું યોગ્ય નથી. – જીવન એ ક્ષમાશીલ થવાની કળા છે. એ સમજદારી છે, અને એજ સાચી માણસાઈ છે.
🤍
પણ ઘણીવાર આપણે ભાવનાવશ થઈ જઈએ છીએ...
અને પોતાની પર્સનલ લાઈફ એવી વ્યક્તિ સાથે વહેંચી દઈએ, જેને આપણાથી કોઈ લાગણીગત સંબંધ જ ન હોય. એ આશામાં કે "એ આપણને સમજશે!"
પણ અહીંયા દુનિયામાં મોટાભાગના લોકો માત્ર "સાંભળે" છે, પણ સમજતા નથી.
🌍
દુનિયામાં ત્રણ પ્રકારના લોકો હોય છે:
1. જે લાગણી જાણી મૌન રહે...
2. જે બીજાની લાગણીનો મફતમાં પ્રચાર કરે...
3. અને જે વ્યાવસાયિક લાગણી બતાવી ફક્ત પોતાનો ફાયદો શોધે...
🙏 એટલે…
લાગણીઓને સાચા સ્થળે વહેંચો. અથવા તો વહેંચો જ નહીં.
અને ખાસ તો – પોતાને સમજી લો. અને બધાથી મહત્વનું પ્રેક્ટિકલ બની જાઓ.
✍🏻– Darsshana Jariwala
#DmeetiWrites