પચાસ પુરા થઈ ગયા ,
ત્યારે ફાળ પડી કે ,
હજુ સાચું જીવવાનું
તો બાકી છે.
શરીરને થોડું ટટ્ટાર કર્યું ફરીને જીવવા માટે,
ત્યાં ખબર પડી કે , મણકાઓ ઘસાઈ ગયા છે.
આંખોને જ્યાં ખોલી સ્વપ્નાંઓ જોવા માટે,
ત્યાં ખબર પડી કે , આંખોમાં તો મોતિયા છે.
દિલ પર હાથ રાખી નવી જ સફર શરૂ કરી,
ત્યાં ખબર પડી કે , એક બે નસો જ બંધ છે.
મુઠ્ઠીઓ વાળી ફરી વખત થોડું દોડી લેવા ગયા,
ત્યાં ખબર પડી કે , શ્વાસ તો સાવ ટૂંકા જ છે.
સંતાનો સાથે બેસી વાતો કરવાની ઈચ્છા થઈ,
પણ બધાં જ તેમની જિંદગીમાં વ્યસ્ત છે .
થોડાં અધૂરાં સંવાદો ફરી કર્યા પત્ની સાથે,
ત્યારે ખબર પડી કે , તેને તો કાનમાં બહેરાશ છે.
અંતે મિત્રોની ટોળકીમાં જઈને ધીંગામસ્તી કરી .
ત્યારે અહેસાસ થયો કે ,
શાંતિનો વાસ તો અહીં જ છે .
એટલે જ તો કહેવાય છે કે ,
પુરૂષો ને પિયર નથી હોતું , પણ મિત્રો નું વૃંદાવન હોય છે .