પચાસ પુરા થઈ ગયા ,
ત્યારે ફાળ પડી કે ,
હજુ સાચું જીવવાનું
તો બાકી છે.

શરીરને થોડું ટટ્ટાર કર્યું ફરીને જીવવા માટે,
ત્યાં ખબર પડી કે , મણકાઓ ઘસાઈ ગયા છે.

આંખોને જ્યાં ખોલી સ્વપ્નાંઓ જોવા માટે,
ત્યાં ખબર પડી કે , આંખોમાં તો મોતિયા છે.

દિલ પર હાથ રાખી નવી જ સફર શરૂ કરી,
ત્યાં ખબર પડી કે , એક બે નસો જ બંધ છે.

મુઠ્ઠીઓ વાળી ફરી વખત થોડું દોડી લેવા ગયા,
ત્યાં ખબર પડી કે , શ્વાસ તો સાવ ટૂંકા જ છે.

સંતાનો સાથે બેસી વાતો કરવાની ઈચ્છા થઈ,
પણ બધાં જ તેમની જિંદગીમાં વ્યસ્ત છે .

થોડાં અધૂરાં સંવાદો ફરી કર્યા પત્ની સાથે,
ત્યારે ખબર પડી કે , તેને તો કાનમાં બહેરાશ છે.

અંતે મિત્રોની ટોળકીમાં જઈને ધીંગામસ્તી કરી .
ત્યારે અહેસાસ થયો કે ,
શાંતિનો વાસ તો અહીં જ છે .

એટલે જ તો કહેવાય છે કે ,
પુરૂષો ને પિયર નથી હોતું , પણ મિત્રો નું વૃંદાવન હોય છે .

Gujarati Blog by Ghanshyam Patel : 111929836
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now