#શબ્દસફર

શબ્દની સફર એક એવી અનોખી સફર છે જે આપણને રોમાંચિત કરી ઉઠે છે. જે આપણે હકીકતમાં કોઈને કહેવા તો ઈચ્છીએ છીએ પરંતુ કોઈ અજાણ્યા ડરના કારણે કદાચ કહી નથી કહી શકતા એને આપણે શબ્દો દ્વારા વાચા આપીને આપણે આપણી ડાયરીમાં કે કોઈ કાગળ પર ઉતારી શકીએ છીએ.

કોઈ લેખક દ્વારા લખાયેલી અમુક વાર્તાઓ પણ ક્યારેક ક્યારેક એ લેખકના માનસને ઉજાગર કરતી હોય છે. એમની વાર્તાઓ પરથી ખ્યાલ આવે છે કે, એ લેખકની વિચારસરણી શું છે? એમની વાર્તા દ્વારા અપાતો સંદેશ વાંચકો પર કેટલી હદે અસર ઉપજાવી શકે છે?

શબ્દની સફર થકી એક લેખક આનંદની એ સફર કરી લે છે જે સફર કરવાની એની વર્ષોની તમન્ના હોય છે.

- પૃથ્વી ગોહેલ
તા. ૧૩/૦૪/૨૦૨૪, શનિવાર

Gujarati Thought by Dr. Pruthvi Gohel : 111926985
New bites

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now