આખરે આપણને આપણા સમય પર જ કેમ બધી વસ્તુ જોઈતી હોય છે? આપણે ઈશ્વરના સમયની રાહ કેમ નથી જોઈ શકતા? ઈશ્વર ભલે આપતા વાર કરે છે પણ એ જે કંઈ આપે છે ને એ સર્વ શ્રેષ્ઠ હોય છે પછી ભલે એ આપણને શ્રેષ્ઠ લાગે કે ન લાગે. ઈશ્વર પાસે આપણે માંગીએ છીએ અને એના જ સમય પર આપણને શંકા છે. આપણે એટલા બધા અધીરા શું કામ બની જઈએ છીએ કે એના સમયની ધીરજ આપણને નથી રહેતી. એક વખત ઈશ્વરના સમય પર ધીરજ રાખતા આવડી જાય પછી જિંદગીની અડધી બાજી ત્યાં જ જીવી જવાય છે. ઈશ્વરના સમયની ધીરજ રાખવી એટલે ઈશ્વર પર અતૂટ શ્રદ્ધા હોવી.