*તન મન ધન*
કહે મુજને હું ચંચળ ધન
પણ ચંચળ છે તારો મન
ઘણાં ભટકે જોઈ ને ધન
ન ભટકે એ સજ્જન જન.
હોય ભલે ને દુબળો તન
ધનવાન ને તો હોય નમન
મદમા એને ભાવે નહીં અન્ન
ક્યાં ભાવે કરે એ ભજન.
વેઢા ઘસાયા ગણવા ને ધન
તોય પૈસામાં ડૂબેલું એનું મન
કહે નર લાગે એજ છે જીવન
અંતિમ વેળાએ હટે નહીં મન.
કેટલું ને કેમ સંઘરે છે આ ધન
અંત કાળે કામ આવે હરિમાં મન
મૂડી મુડી કહે મુકે નહીં આ તન
એ ક્યાં સમજે છે હરિના કથન.
નારાણજી જાડેજા
નર
ગઢશીશા હાલ મુન્દ્રા