"ઝિંદગી ઝીંદાદીલી નું નામ છે."
સિનિયર સિટીઝન માટે હવે બાકી રહેલું જીવન કેવી રીતે વ્યતીત કરવું તે અંગે ની ટીપ્સ :-
જીવન સીમિત છે અને જ્યારે તેનો અંત આવશે, ત્યારે આ દુનિયાની કોઈ પણ વસ્તુ તેની સાથે જશે નહીં.
તો આવી પરિસ્થિતિમાં પેટ કાપીને, કંજૂસાઈ કરીને બચત કેમ કરવી જોઇએ? જરૂરિયાત મુજબ ખર્ચ કેમ નથી કરતા?જે સારી બાબતોમાં આનંદ છે, તે કરવા જ જોઇએ.
આપણા ગયા પછી શું થશે, કોણ શું કહેશે તેની ચિંતા છોડો, કારણ કે શરીરના પાંચ તત્વોમાં ભળી ગયા પછી કોઈ વખાણ કરે કે ટીકા કરે તો શું ફરક પડે છે?
તે સમયે જીવનનો આનંદ માણવાનો સમય અને મહેનતની કમાણી વીતી ગઈ હશે..
તમારા બાળકોની જરૂરિયાતો વિશે વધુ ચિંતા કરશો નહીં..
તેમને પોતાનો રસ્તો શોધવા દો.
તેમને પોતાનું ભવિષ્ય બનાવવા દો. તેમની ઇચ્છાઓ, આકાંક્ષાઓ અને સપનાઓના ગુલામ ન બનો.
બાળકોને પ્રેમ કરો, તેમની સંભાળ રાખો, તેમને ભેટો પણ આપો, પરંતુ તમારી પોતાની આકાંક્ષાઓ પર પણ કેટલાક જરૂરી ખર્ચાઓ કરો.
જન્મથી મૃત્યુ સુધી દુઃખ સહન કરવાનો એકમાત્ર રસ્તો નથી.
આ ધ્યાનમાં રાખો.
તમે ૬ દાયકા પૂર્ણ કર્યા છે, હવે જીવન અને આરોગ્ય સાથે રમીને પૈસા કમાવવા એ અયોગ્ય છે, કારણ કે હવે પૈસા ખર્ચ્યા પછી પણ તમે સ્વાસ્થ્ય ખરીદી શકતા નથી.
આ યુગમાં બે પ્રશ્નો મહત્વના છેઃ
પૈસા કમાવવાનું કામ ક્યારે બંધ કરવું ?
અને બાકીના જીવન માટે કેટલા પૈસા સુરક્ષિત રીતે રાખવા?
તમારી પાસે હજારો એકર ફળદ્રુપ જમીન હોવા છતાં પેટ ભરવા માટે કેટલું અનાજ જોઈએ? જો તમારી પાસે ઘણાં ઘરો છે, તો પણ તમને રાત્રે સૂવા માટે માત્ર એક જ રૂમની જરૂર છે.
જો કોઈ દિવસ આનંદ વિના પસાર થાય, તો તમે તમારા જીવનનો એક દિવસ ગુમાવ્યો છે. અને જો એક દિવસ આનંદમાં વિતાવ્યો હોય, તો એ દિવસ તમે કમાયા છો, આ ધ્યાનમાં રાખો.
બીજી એક વાત:
જો તમે રમતવીર છો અને ખુશમિજાજ છો, તો પછી ભલે તમે બીમાર હોવ, પણ તમે જલ્દી સ્વસ્થ થઈ જશો અને જો તમે હંમેશા ખુશખુશાલ રહેશો, તો તમે ક્યારેય બીમાર થશો નહીં.
સૌથી મહત્વની વાત એ છે કે તમારી આસપાસ જે કંઈ સારું છે, તે શુભ છે, ઉત્કૃષ્ટ છે, તેનો આનંદ લો અને તેની કાળજી લો.
તમારા મિત્રોને ક્યારેય ભૂલશો નહીં. તેમની સાથે હંમેશા સારા સંબંધો રાખો. જો આમાં સફળ થશો, તો તમે હંમેશા હૃદયથી યુવાન રહેશો અને દરેકને પ્રેમ કરશો.
તમારા મિત્રો ના હોય તો તમે એકલા પડી જશો અને આ એકલતા બહુ ભારે પડશે,તો વ્હોટ્સએપ દ્વારા દરરોજ સંપર્કમાં રહો, હસતા રહો, એકબીજાના વખાણ કરો.. જેટલો આનંદ છોડ્યો છે તેટલો આનંદ કરો.
પ્રેમ અને સ્નેહ મધુર છે, તેની મધુરતા માણો.
ગુસ્સો જીવલેણ છે. તેને હંમેશ માટે જમીનમાં દાટી દો.
કટોકટી ક્ષણિક છે, તેનો સામનો કરો.
પર્વત- શિખર ઓળંગીને ક્ષિતિજ પાર ગયેલો સૂરજ પાછો આવે છે, પણ હૃદયમાંથી દૂર ગયેલા પ્રિયજનો પાછા આવતા નથી.
સંબંધોનું ધ્યાન રાખો, બધા વચ્ચે આદર અને પ્રેમ વહેંચો. જીવન ક્ષણિક છે, તેનો અંત ક્યારે આવશે તેની તમને ખબર પણ નથી. તો આનંદ કરો, આનંદ કરો, આનંદ કરો.
મિત્રતા અને મિત્રોને સુરક્ષિત રાખો.
શક્ય બને તેટલા "ગેટ- ટુગેધર" કરતા રહો.
🌹🙏🏻🌹