બોલ સન્નાટા, ખબર છે ?
રાત પાછળ રાત થઈ છે,
બંધ સૂરજની સફર છે ?
કાગડો કહે, એકલું ઘર,
કો’કની લાગી નજર છે.
પારદર્શક હો છતાં પણ,
કાચ કરચોથી સભર છે.
જો ફરી સૂરજ ઉગ્યો છે,
કેમ પડછાયા વગર છે ?
ઢાંકણું હિજરાય છે કેમ ?
કાચ તૂટ્યાની અસર છે ?
એ કહે તો આથમે દિન,
એવા કૂકડાની ખબર છે ?
– ગુંજન ગાંધી