પ્રયત્ન ઘણા થાય છે સંબંધોને લીલાછમ કરવાના..
પણ,ભૂલી જવાય છે કે સૂકાં પાંદડા તે કદી લીલાછમ થયા છે?...
અંદર કુમાશ હોય તો ફરી નવપલ્લવિત થવાની તક હોય...
જયાં સૂકાં મૂળ જ હોય ત્યાં કઈ થોડી ભિનાશ હોય?...
તો પછી પ્રેમ અને સમર્પણનું સિંચન શા માટે...?
હૃદયની લાગણીઓ નાહક ની વેડફવાની શા માટે ...?
જ્યાં બાળવા સિવાય નો કંઈ ઉપાય જ નહિ....
ત્યાં સિંચાઇનો કોઈ વ્યવહાર શા માટે?....
શા માટે નવા બીજ ને અંકુરિત ન કરીએ?...
આનંદ નો સેતુ ત્યાં જોડીએ..
એ પણ લહેરાય ને આપણે ઉત્સવ માનવીએ...
જીવન યાત્રા ને આગળ જ વધારીએ....
-Tru...