આજકાલ લોકો બીજાના પ્રેમ અને લાગણીને સમજી જ નથી શકતા અને એના કારણે જ પ્રેમનો ખોટો દેખાવ કરતાં, મીઠી મીઠી વાતો કરતા, અને તેમની જુઠ્ઠી પ્રશંસા કરતા લોકો જ તમને પસંદ આવવા લાગ્યા છે.
ભૂલ બંને પક્ષની જ છે પહેલી ભૂલ એ લોકોની કે જે પ્રેમ કરે છે, હૈયે લાગણીનો ધોધ વહે છે તે છતાં પણ તેઓ પોતાની લાગણીને વ્યક્ત નથી કરી શકતા. અને બીજી ભૂલ એ લોકોની છે કે જેઓ આપણે પ્રેમ કરે છે તેણે આપણે સમજી નથી શકતા કે એ કહી નથી શકતો કંઈ વાધો નહીં આપણે જાતે સમજી લઈએ. આમાં ત્રીજો જે વ્યક્તિ જુઠ્ઠો છે, મીઠી મીઠી વાતો કરે છે એ વ્યક્તિ ફાવી જાય છે.
- ઈશા કંથારીયા "સરવાણી"
૪/૩/૨૦૨૨
-Isha Kantharia