એક યુવાન જે રીતે ચાલ્યો જતો હતો એ ચાલ કઈંક જુદી જાતની હતી. ચેહરા પર જે ભાવો હતા તે અકળ જણાતા હતા. કાજીસાહેબને આ વાત ધ્યાનમાં આવી.
કાજીસાહેબે યુવાનને પૂછ્યું, " કઈ તરફ જવું છે, યુવાન?"
યુવાને કહ્યું, "મોતના મારગે જાવું છે, જિંદગીનો રાહ પૂરો થયી ચુક્યો છે."
કાજીસાહેબે યુવાનને બેસાડ્યો. મોતના મારગનું કારણ પૂછ્યું.
યુવાને કહ્યું, "આ ઉગતો સૂર્ય, આ ચમકતી ચાંદની, આ કલરવ કરતા પંખી, આ રંગીન જગત.. કાજીસાહેબ ! મારા માટે જગતના આ સુંદર ચિત્રો પર હંમેશા માટે પડદો પડી ગયો છે! હું જીવીને શુ કરું? હું અંધ બની ગયો છું."
કાજીસાહેબે સમજાવ્યું, "યુવાન! જિંદગી છે, એમાં સુખ દુઃખ તો આવે, પણ એક વાત યાદ રાખજે, ખુદાએ જિંદગી જીવવા આપી છે. તું માત્ર જીવવાની કોશિશ તો કરી જો !"
યુવાન સ્વસ્થ બન્યો. કાજી સાહેબની વાત તેને વિચારવા જેવી લાગી. તેણે જીવવાની કોશિશ કરી - પણ એવી કોશિશ કરી કે જીવનમાં 14 વાર phd ની ડીગ્રી મેળવી અને સમગ્ર જીવન ઇજિપ્તના શિક્ષણપ્રધાન તરીકે ફરજ બજાવી જગતના વિદ્વાનોમાં સ્થાન મેળવ્યું.
આ યુવાનનું નામ ડૉ. તાહા હુસેન.