ભરોસો એક ભગવાનનો રાખી કરું હું કામ
એ આપશે એવી હામ ,કે નહીં પડે બીજા કશાનું કામ.
લોકો શુ વિચારશે ,એ વિચારવું નથી મારુ કામ,
હોઈશ જો પડખે સત્યની, તો થશે વિજય સરેઆમ.
દુનિયા આપણા વિશે શુ વિચારે છે એ એને જ વિચારવા દઈએ ને , આપણે શુ કામ એ વિચારવું કે આ મારા વિશે આવું વિચારે છે ને પેલો તેવું વિચારે છે.
આપણે આપણી જાત પ્રત્યે શુ વિચારીએ એ જ સૌથી વધુ અગત્યનું છે , કારણ છેલ્લે રહેવાના તો આપણે એક જ, લોકો તો ફરતા રહેવાના અને એમની આપણી પ્રત્યેની વાતો અને વલણ પણ બદલતા જ રહેવાના.
માટે મૂંઝાવું નહિ ક્યારેય આ દુનિયાની સાચી કે ખોટી આપણા પ્રત્યેની વાતોથી,
મૂંઝાય ખોટું કરનારાં લોકો, આપણે સાચા હોઈએ તો મૂંઝાવું શુ કામ.
માટે સત્યને રસ્તે ચાલતા મારા બંધુઓ કયારેય ખોટા લોકોથી આપણે પરેશાન થવું નહિ ,અડગ રહેવું.
કારણ આ સમય પણ ચાલ્યો જ જવાનો, અને વિજય અંતે તો સત્યનો જ થવાનો.
- સાગર વેકરીયા.