જાણે મનમાં કંઇક ખૂટતું હોય તેવો ભાસ થાય છે.
શું ખોવાઈ ગયું છે.!તે મનની ભીતર ઘણા સવાલ થઈ રહ્યા છે.??
ચારેબાજુ જાણે મનની શાંતિ ખોવાઈ ગઈ છે.! બસ મનમાં જાણે ઉદાસી હોય એવું લાગી રહ્યું છે.
આ સમય એવો આપણે પસાર કરી રહ્યા છે કે 'મનની શાંતિની ખોજમાં નીકળી રહ્યા છીએ..
આપણે બે વર્ષથી કોરોનાની મહામારી માં એટલા તો ખોવાઈ ગયા છે અને ડરી ગયા છે. એ હવે તો એમાંથી ક્યારે બહાર નીકળીએ, અને અજંપાભરી જિંદગી કી દૂર થઈ જઈએ એવી રાહ જોઈ રહ્યા છીએ.
મનુષ્યનું જીવન સતત સંઘર્ષમય બની રહ્યું છે. એની આંખોમાંની ખુશી લુપ્ત થઈ ગઈ હોય એવું લાગ્યા કરે છે.
આજનો માનવી ખોવાઈ ગયેલ છે તેની શાંતિ ધંધો ,ખુશી ,તહેવાર, પ્રસંગોમાં પોતાની મનની શાંતિ શોધી રહ્યો છે. આનંદ શોધી રહ્યો છે. પરંતુ વ્યાકુળ બની રહ્યો છે કેમ માનસિક શાંતિ મળે એવી ખોજ પૂરી કરી શકાતી નથી.!!!!
કેમ! એ તો આપણે જાણીએ છીએ ,કારણ કે બધાનું જીવન સતત સંઘર્ષમાં ચાલી રહ્યું છે પરંતુ હજુ આજનો માનવી હાર્યો નથી સતત ખુશીની ખોજ કરી રહ્યો છે.અને તે ખોવાયેલી શાંતિ પાછી મેળવશે એ વિશ્વાસ થી જીવી રહ્યો છે.