લાગણીઓમાં માનવી ભીંજાય છે..
માણસ જો દાખવે માણસાઈ તો એ મહેકે છે..
હોતા નથી સૌ અહીં સરખા
લાગણીના કારણે જ ઘણા થાય છે હેરાન... Bindu _Anurag
તો ઘણાય તરસે છે આ લાગણી માટે
કહેવાય છે કે લાગણીશીલ માણસ થાય છે દુઃખી
તો પછી જે છે લાગણીવિહિન તેનું શું?
તો વળી જે લાગણીશીલ માણસની લાગણીઓ જોડે રમે છે તેનાથી વધારે ક્રૂર શું?
લાગણીઓ તો સહજ છે... પણ જેનામાં આ તત્વ છે જ નહીં તેનું શું?
શાને લાગણીવિહીન હોશિયાર અને લાગણી વાળી વ્યક્તિ ભોળા કહેવાય છે, તે શું ખરેખર સમજાય છે ??
15/0/621 08:01AM