સ્વ શ્રી.જયદેવ ભોજક સાહેબ
=============================
છે સમાધી સ્પંદનો, ભીતર જુઓ,
કળ અકળ જો મન, હું બેસાડું તને.
હોય છે આનંદ , સાચો ચિન્મયી,
અર્થ મોઘમ, હસ્તિ દેખાડું તને.
જેમણે શબ્દોને ગીત-સંગીતથી શણગારી સમાજ માં દિવ્યતાનો સંચાર નિ: સ્વાર્થ ભાવે કર્યો છે.એવા નિષ્કામ કર્મયોગીને દિલથી પ્રણામ.
એમના સાનિધ્યમાં જેટલી પળો માણવા મળી,
એ ખરેખર પ્રશંસનીય છે, એમાં સંતોષ ,ધીરજ અને સંયમની અનુભૂતિ થઈ કારણ કે તેઓનું આધ્યાત્મિક જીવન કરૂણા, ઉદારતા, સહિષ્ણુતા સદગુણોથી ભરપૂર હતું.
કવિ ઓ સાથે તેમનો ઘરોબો હતો, કવિની રચનામાં ત્રુટિ દુર થાય ને શબ્દો સન્માનિત થાય , એવી સિધ્ધી તેમની સંગીત કળામાં હતી.કારણકે તેઓ પણ કવિ હ્દય હતા.શબ્દના મર્મજ્ઞ, ને લક્ષણાના જાણકાર હતા.
આદરણીય સ્વ.શ્રી જયદેવ સાહેબ એક દિવ્યતા સભર વ્યક્તિત્વ , એક સંગીતનું વિશાળ વટવૃક્ષ , એક નિષ્ઠાવાન નિષ્કામ કર્મ યોગી તથા ઉમદા જ્ઞાન વૃધ્ધ મહામાનવ હતા.એમનુ જીવન ખુબ સહજ સ્વાભાવિક અને સરળ હતું.એ દર્શન કાવ્યાત્મક વર્ણન ;
કોઈ વાતો મનમાં, મોઘમ ઠીક છે,
શૂન્યમાં લય હોય , હરદમ ઠીક છે.
કોણ કોને, ઓળખે છે, જો જરા,
પોત પોતામાં જ , આદમ ઠીક છે.
આવા વિવેકી ,વિનય શીલ ચારિત્ર્ય ઘડતર કરનાર
દિવંગત શ્રી જયદેવ ભોજક સાહેબ ને હું સન્માન પુર્વક શબ્દ શ્રધ્ધાંજલિ અર્પણ કરું છું. ૐ શાંતિ.
=============================