મૌન હૃદયમહીં ચીંખી રહ્યું છે,
સપનું એક એક વિરાન થયું છે.
પૂછો એ હસતા ચહેરાઓ ને,
દિલમહી દર્દ કેટલું સહયું છે.
મધરાતે ટપકા રહ્યા આંસુઓ,
પ્રવાહમાં તૂટેલ સ્વપ્ન તર્યું છે.
નાઈલાજ રહી છે જિંદગી આ,
વૈદ્ધે આપેલ દર્દ ઓન સહયું છે.
કવિતાના કાફિયા નથી રહ્યા હવે,
કહ્યું જે દિલે તે અહીં લખ્યું છે.
મનોજ બોજ ખૂબ છે દિલમાં,
મોતની સાથે દર્દ ક્યાં સમ્યુ છે.
મનોજ સંતોકી માનસ