શા માટે પોતાના જીવને દુઃખી કરે છે?
જાણે છે કે જતું કરવું એ જ જીવન છે.
શા માટે દુઃખ આપતી વાતોને ભરીને મનને ભારે બનાવે છે?
જાણે છે કે ક્ષમા આપવી જ મનની શાંતિ છે.
શા માટે બીજા માટે કરેલા કાર્યોને ઉપકારભાવથી જોવે છે?
જાણે છે કે ફરજ નિભાવવી એ તો કર્તવ્ય છે.
શા માટે સરખામણી કરીને પોતાનાપણું ગુમાવે છે?
જાણે છે કે તારું અસ્તિત્વ જ નોખું છે.
ધારા મનિષ ગડારા "ગતિ".