સુખ ભર્યું છે, દુઃખ ભર્યું છે,
લાગણીઓનું પૂર ભર્યું છે,
નફરતનાં દરિયા છે, તો
વ્હાલનું ઝરણું છે.
ક્યારેક કોઈ ગમી જાય છે,
પહેલી જ નજરમાં તો ક્યારેક
સાથે રહીને નીકળી જાય છે
આખુંય આયખું ને છતાંય
એકબીજાને ઓળખી શકતાં નથી.
પામી શક્યું નથી કોઈ કે
શાને થાય છે આવું?
છે આ એક વણઉકેલ્યુ રહસ્ય,
છે આ માનવદેહરૂપી
હવેલીનું રહસ્ય, જેમાં રહે છે
તો ઘણાં પણ કેટલાંક,
આપણી મરજીથી, કેટલાંક
જબરદસ્તીથી.
- સ્નેહલ જાની